જામનગરમાં ઝઘડાનું મામલે સમજાવતા પથ્થરથી હુમલો કરાયો
જામનગર નાગનાથગેટ વિસ્તારમાં મહેશ્વરીનગરમાં રહેતા વિજયભાઈ ઉર્ફે રામજીભાઈ માતંગી પોતાના તથા અન્ય પર આડેધડ પથ્થરોના છૂટા ઘા કરી ઈજા કર્યાની ફરિયાદ લેખન પાલા, સુનિલ પાલા, પાલાભાઇ અને દેવાભાઇ સામે નોંધાવી છે. ભોગગ્રસ્તનો પુત્ર-ભાઈ તથા પાડોશીઓ સાથે આરોપીઓ ઝઘડો કરતા હોવાથી તેને સમજાવવા જતા આ હુમલો કર્યાનું ફરિયાદમાં જાહેર થયું છે.
– રોહિત મેરાણી (જામનગર)