ખાંભા : નાનુડી ગામે સિત્રકુટ હનુમાનજી આશ્રમ ખાતે 108 દીપ પ્રગટાવી પુજા
ખાંભા તાલુકાના.નાનુડી ગામે સિત્રકુટ હનુમાનજી આશ્રમ ખાતે 108 દીપ પ્રગટાવી પુંજા કરવામાં આવેલ. અયોધ્યામાં આજે માહોલ દિવાળી જેવો ઉત્સવનો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રામ મંદિર નું ભૂમિ પૂજન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના મહેમાનો પૂજા માં બેઠેલા છે.
આ પાવન પ્રસંગે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનુડી ગામ ના ચિત્રકૂટ ધામ માં આજે 108 દીપ પ્રજ્વલિત કરી મહંત શ્રી ધર્મદાસ બાપુને ઉપસ્થિતિમાં ગામ ના સેવકો ભક્તો તથા આસપાસના તમામ ધર્મમય બનેલી જનતાએ ચિત્રકૂટ હનુમાનજી આશ્રમ મા અયોધ્યા ધામ બની ગયું ગયુંહોય એવો આજે માહોલ જોવા મળેલો છે સેવકો ગામના આગેવાનો બહોળી સનખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)