ખોડીયાર જૂનામાં પુર આવતા નાહવા પડેલ યુવાનને મોતના મુખમાંથી બચાવતી જુનાગઢ પોલીસ
અમદાવાદ નવરંગપુરા ખાતે રહેતો સતિષભાઈ સંપતભાઈ ગોદડીયા દેવી પૂજક ઉવ. 30 જૂનાગઢ ભવનાથ ખાતે પાંજનાક પાસે આવેલ ખોડિયાર ઘુના ખાતે નહાવા પડેલ હતો. દરમિયાન ગીરનાર ઉપરવાસમાં વરસાદને કારણે વોકળામાં પુર આવતા, સતિષભાઈ સંપતભાઈ ગોદડીયા પાંજનાકા પુલ નીચે ફસાઈ ગયો હતો. વોકળામાં પાણી વધવા લાગતા, સતિષભાઈ સંપતભાઈ ગોદડીયા પાણીની બહાર નીકળી શકે તેમ ના હોઈ, કોઈએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરેલ હતી. પોલોસ કટ્રોલ રૂમ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હતી.
પોલોસ કટ્રોલ રૂમ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, સ્ટાફના હે.કો. સંતોકબેન, રામદેભાઈ, પો.કો. સંદીપભાઈ, હોમગાર્ડ જવાનો રાજુભાઇ જાની, જીઆરડી સભ્ય બી.એન. પરમાર, જે.કે.ચૌહાણ, સહિતની પોલીસ ટીમ તાત્કાલિક પાંજનાકા પહોંચી, સાથે સાથે ફાયર બ્રિગેડ ને પણ જાણ કરવામાં આવતા, ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ભૂમિત મિસ્ત્રી સહિતના સ્ટાફની ટીમ સાથે મળી, દોઢ બે કલાકની જહેમત બાદ પુરમાં પુલ નીચે ફસાયેલ અને આશરો લીધેલ સતિષભાઈ સંપતભાઈ ગોદડીયાને હેમખેમ બહાર કાઢવામાં આવેલ હતા.
સતિષભાઈ સંપતભાઈ ગોદડીયાને હેમખેમ બહાર કાઢવામાં આવતા, જૂનાગઢ પોલીસ તથા ફાયરબ્રિગેડ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ હતો અને પોતાને મોતના મુખમાંથી પાછો આવ્યો હોવાનો એહસાસ* થયો હોવાનું જણાવી, *પોલીસ ટીમને હવે પછી ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરવાની ખાત્રી* પણ આપવામાં આવેલ હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ