સિધ્ધપુર સરસ્વતી નદી કિનારે સયાજીરાવ ગાયકવાડા દ્વારા સ્થાપિત આશરે 250 વર્ષ જૂનું સિદ્ધેશ્વર મહાદેવ
ગુજરાત નું ઐતિહાસિક અને ધાર્મિક નગરી તરીકે જાણીતા એવા સિધ્ધપુર (શ્રી સ્થળ) નું પ્રાચીન અને જાણીતા એવા માધુપાવડીયા ઘાટ પાસે આવેલું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ નું ઐતિહાસિક મંદિર આવેલું છે , આ મંદિર ની સ્થાપના ગુજરાત ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આજથી ૨૫૦ વર્ષ પૂર્વે વૈશાખ સુદ પાંચમ (શ્રી શંકરાચાર્ય જયંતિ) ના પવિત્ર દિવસે કરવામાં આવી હતી. આ મંદિર નું નકશીકામ ખુબજ અદ્ભૂત અને જોવાલાયક છે.
આ મંદિર ની વિશેષતા એ છે કે સયાજીરાવ ગાયકવાડ દ્વારા ગુજરાતમાં બે સ્થળએ એવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું કે જેમાં નંદીજી નું અલગ મંદિર છે જેમાંનું એક આ સિધ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલું સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર. આ મંદિર ની રોચક દંત કથા એવી છે કે વર્ષો પહેલા અહીંયા કબ્રસ્તાન આવેલી હતી અને અહીંયા કેટલાક અસામાજીક વિધર્મિ તત્વોનો અહીંયા ખૂબ મોટો ત્રાસ હતો અને આ લોકો ના ત્રાસ થી સયાજીરાવ ગાયકવાડ ના હુકમ થી તેમના સેનાપતિ બાવાજી આપાજી દ્વારા મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું. સેનાપતિ બાવાજી આપાજીના નામ પરથી આ જગ્યાને બાવજીની વાડી તરીકે ઓળખાય છે.
આ મંદિરની લોકવાયકા એવી છે કે મંદિર ના નિર્માણ કાર્ય ના સમયે કેટલાક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મંદિર માં બેસાડનાર નંદી ઘાસ ખાય તો જ આ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી સાચી ગણાય અને આ નંદી એ ઘાસ ખાતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની ભવ્ય થી અતિભવ્ય નિર્માણ કરવામાં આવ્યું અને આ મંદિર ના પૂજારી તરીકે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ બોલાવામાં આવ્યા જેમની સાત પેઢીથી આ મંદિરની પૂજા કરે છે. અહીં પ.પૂ.ચંદુગુરૂ મહારાજ દ્વારા મંદિરની સેવા પૂજા કરતા હતા તથા બ્રાહ્મણો ને વેદોનું જ્ઞાન આપતા.
મંદિરમાં વિવિધ નાના – મોટા તહેવારો ઉજવાતા હોય છે, જેમાં મુખ્ય તહેવારો જેવાકે શિવરાત્રી ના દિવસે નગરમાં નિકળતી સિદ્ધેશ્વર મહાદેવની પાલખી યાત્રા , શ્રાવણ માસ ના સોમવારે મંદિર માં થતી ફૂલવાડી, પ્રદોષ પૂજા , ગુરુપૂર્ણિમા ઉત્સવ , ભૈરવ આઠમ , શાકંભરી નવરાત્રિ તથા શ્રી ચંદુગુરૂ મહારાજ ની જન્મજયંતિ તેમજ પુણ્યતિથિ જેવા તહેવારો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ઉજવવામાં આવે છે.
આ મંદિરની અંદર બીજું ચલિત લિંગ કુબેર ભંડારીનું આવેલું છે અને કહેવાય છે કે જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ આવતા ત્યારે મંદિર ના ગર્ભગૃહમાં જવાની મંજૂરી નહતી તેથી આ લિંગ ને બહાર લાવી ને તેની પૂજા અર્ચના કરતા હતા. આ મંદિર ની આસપાસ સાંઈબાબા નું મંદિર , હરિહરેશ્વર મહાદેવ નું મંદિર , ગોગા મહારાજ નું મંદિર , પ્રાચીન મોક્ષ પીપળો તેમજ શ્રી ચંદુગુરૂ મહારાજ ની ગુરૂ ગાદી તથા તેમનું સ્મૃતિ મંદિર આવેલું છે.
જય આચાર્ય