અરવલ્લી જીલ્લા LCB પોલીસે ચાર ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને દબોચ્યો
- અરવલ્લી જિલ્લાના શામળાજી , આંબલીયારા , મેઘરજ તથા સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી
- મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર વિભાગ તેમજ અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ મોડાસા નાઓ ધ્વારા અરવલ્લી જિલ્લા માં નાસતા ફરતા આરોપી ઓને શોધી કાઢવા સૂચના
ઉપરોકત સૂચના અન્વયે શ્રી અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. આર.કે.પરમાર , તથા એલ.સી.બી. મોડાસા સ્ટાફના માણસો શામળાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સ.શ્રી આર.કે.પરમાર એલ.સી.બી. ને મળેલ માહિતી અન્વયે પ્રોહીબીશનના આરોપી પુજેસિંહ દેવુસિંહ જાડેજા રહે.દહેગામડા, જોડવા ફળીયું તા.ભિલોડા જિ.અરવલ્લી નો તેના ઘરે હાજર હોવાની હકીકત આધારે સદરીને તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ.
આ આરોપી અરવલ્લી જિલ્લાના શામળાજી, આંબલીયારા, મેઘરજ, તથા સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડવાનો બાકીમાં છે. આ આરોપી ઉપરોકત ચાર ગુન્હાઓમાં છેલ્લા એકાદ વર્ષથી પોલીસની નજર છુપાવી નાસતો ફરતો હતો. આમ અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ટીમને છેલ્લા એક વર્ષથી ચાર ગુન્હાઓનો નાસતો ફરતો આરોપી પકડવામાં સફળતા મળી હતી.
આરોપીને પકડવાનો બાકી ગુન્હાઓની વિગત
( ૧ ) શામળાજી પોલીસ સ્ટેશન.
( ૨ ) મેઘરજ પોલીસ સ્ટેશન.
( ૩ ) આબલીયારા પોલીસ સ્ટેશન.
( ૪ ) તલોદ પોલીસ સ્ટેશન.
રીપોટૅ : કુલદીપ ભાટીયા, (સાબરકાંઠા)