જૂનાગઢ : માંગરોળ આઇટીઆઇ પ્રવેશસત્ર 2020 એડમીશન અંગે
જૂનાગઢ : માંગરોળ તાલુકાના શીલ સ્થિત આઇટીઆઇમાં પ્રવેશસત્ર ૨૦૨૦ માટે એડમીશન પ્રક્રિયાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા સંચાલિત ઐાઘોગીક તાલીમ સંસ્થા માંગરોળના શીલ ખાતે કાર્યરત છે. સંસ્થામાં પ્રવેશસત્ર ૨૦૨૦ માટે એડમિશન અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થયેલ છે. સંસ્થા ખાતે તા.૨૧/૮/૨૦૨૦ સુધીમાં એડમીશન અંગે રજીસ્ટ્રેશન કરી શકાશે.
જેમાં આઇટીઆઇમાં ઉપલબ્ઘ વાયરમેન,વેલ્ડર,ફિટર,મીકેનીક ડીઝલ,ઇલેકટ્રીશ્યન,કોમ્પ્યુટર તેમજ બ્યુટી પાર્લર જેવા ટ્રેડ માટે ઘો. ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ રૂબરૂ સંપર્ક કરવા માંગરોળ આઇ.ટી.આઇ આચાર્ય એન.બી. પટેલની અખબારી યાદીમાં જણાવાયુ છે.વઘુ માહિતી માટે ઉમેદવારોએ આઇ.ટી.આઇ. ગરોળ,શીલ,ઝરીયાવાડા રોડ ફોન-૦૨૭૮-૨૮૧૫૧૫ પર સંપર્ક કરવો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ