વડનગરમાં સરકારી અનાજનું બારોબારિયું કરનારા દુકાન સંચાલક સહિત ૩ લોકો સામે ફરિયાદ
મહેસાણા જિલ્લાના વડનગરમાં સરકારી અનાજનું બારોબારિયું કરનારા દુકાન સંચાલક સહિત ત્રણ લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે થોડા દિવસો પહેલા સરકારી અનાજનું વિતરણ કરતા દુકાનદારે મળતિયાઓ સાથે મળી અને સરકારી અનાજનું બારોબારિયું કરનારા કારસો રચ્યો હતો જોકે કોઈએ મામલતદારને બાતમી આપી દેતાં અધિકારીઓ સાથે તપાસ કરવામાં આવી હતી જેમાં ₹.1,12,000નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો જે બાદમાં આજે વડનગરના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ત્રણ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઇ છે
વડનગર શહેરમાં સરકારી અનાજ સગેવગે કરવાના મામલે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે થોડા દિવસો પહેલા તા.21/7/20 ના રોજ વડનગર મામલતદારને મૌખિક રજૂઆત મળી હતી કે ભાવસાર અજયભાઇ હરિકૃષ્ણ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ઘઉંના કટ્ટા ભરેલા સઘળો અનઅધિકૃત મૂવમેન્ટ કરી ઉભો રાખેલ છે જેથી મામલતદારના હુકમ મુજબ ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠાના પંચો સાથે રાખી તપાસમાં ગયા હતા
આ દરમિયાન અતુલ શક્તિ સઘળો રિક્ષામાં ઘઉંના કટ્ટા નંગ-૨૦ (તમામ ઘટના ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા)લખેલ હોઇ કટ્ટામાં 50.કિલો.ગ્રામ પ્રમાણે 10 ક્વિન્ટન કી.₹.18,000/-નો જથ્થો ઝડપાયો હતો જેથી રિક્ષા ડ્રાઇવર પ્રવિણજી મહોતાજીનું નિવેદન લેતાં આ ઘઉં વડનગરના પરમાર ગણપતભાઇ ની વ્યાજબી ભાવની દુકાનમાંથી લઈને ભાવસાર અજયને ત્યાં લાવેલ હોવાનું જણાવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા આ સાથે અગાઉ પણ ચોખાના કટ્ટા નંગ-20 ભાડેથી આ છકડામાં ભરીને ભાવસાર અજયને ત્યાં પહોંચાડ્યા હોવાનું જણાવતા તપાસ કરનાર ટીમે અજયના ઘરે પહોંચી રૂબરૂ ચકાસણી કરી હતી જ્યાં ચોખાના કટ્ટા નંગ-20 તમામ કટ્ટામાં કિલો.ગ્રામ 50 પ્રમાણે 10 ક્વિન્ટલ કિંમત રૂપિયા 24,000/- નો જથ્થો મળી આવ્યો હતો
કોરોનાકાળ મા સરકારી અનાજનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે વડનગરના કેસમાં તપાસ ટીમે ગણપતલાલ સરકારી અનાજની દુકાનને સીલ કરવાની કાર્યવાહી કાર્યવાહી કરી હતી જોકે તપાસ અને રિપોર્ટને અને ગઇકાલે વડનગર ઇન્ચાર્જ મામલતદાર વિનોદભાઇ સોનાભાઇ કટારિયાએ દુકાન સંચાલક,રિક્ષાચાલક અને સરકારી અનાજ ખરીદનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેને લઇ વડનગર પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ મુજબ જરૂરી ચીજ વસ્તુઓના અધિનિયમની કલમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
કયા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ
- પ્રવિણજી મહોતાજી ઠાકોર (રિક્ષાચાલક-રહે.વડનગર)
- ગણપતભાઇ વીરાભાઇ પરમાર (સરકારી અનાજ દુકાનદાર-રહે. વડનગર)
- અજયભાઇ હરિકૃષ્ણભાઇ ભાવસાર (સરકારી અનાજ ખરીદનાર-રહે.વડનગર)