બુદ્ધ પુરુષોનું અવતરણ લોક મંગલાર્થે હોય છે : પૂ. મોરારીબાપુ
- સેજંળધામમા “માનસ સમાધિ “રામકથાની પૂણૉહુતિ
વેળાવદર : અમરેલી જિલ્લાના સેંજળધામમાં પુ.મોરારિબાપુની ૮૪૭ ની રામકથા ૧૫મી ઓગસ્ટથી શરૂ થઈ હતી. અને તેની આજે તારીખ ૨૩ના રોજ પૂર્ણાહુતિ થઇ.
પૂ.ધ્યાન સ્વામી બાપાના સમાધિ સ્થળ પર યોજાયેલી ઓનલાઇન કથાને “માનસ સમાધિ” નું નામકરણ કરવામાં આવ્યું હતું. બાપુએ આ પ્રસંગે સંબોધિત કરતાં કહ્યું કે “આ સમાધિ સ્થળ પર હું ક્યારેક ગોદડું નાખીને એકલો સૂતેલો છું. અહીં કાંઇ નહોતું પરંતુ” રામ ભરોસો સમાધિ ભરોસો સૌ માટે મંગલ કરે છે તે આ તાદ્રશ્ય ઉદાહરણ છે.
પુ. બાપુએ નાનકડાં વૃંદને પણ ટેલીકાસ્ટથી આખી દુનિયા ને સંબોધિત કરતાં આજનાં કથા પ્રવાહ ને ગતિ આપતાં જણાવ્યું.”પરમાત્મા ના લક્ષણ તે સમાધિ ના લક્ષણ હોય છે “બિન પદ ચલહી બિન કાના સુનું:” ભગવત પ્રાપ્ત બુદ્ધ પુરુષની સમાધિ પણ પગ વગર ચાલે છે અને કાન વગર સાંભળે પણ છે. આપણે વધુમાં વધુ ધ્યાન સુધી પહોંચી શકીએ, સમાધી સુધી નહીં. ધ્યાન ઈતિ નથી ધ્યાન પડાવ છે. ગુરુનીષ્ઠ સાધકને ગુરુ સિવાય કોની પૂજા કરવી ? “ધ્યાન મૂલમ ગુરુ, પૂજા મૂલમ ગુરુપદ , મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા ” કરુણા થી મુક્તિ પ્રાપ્ત થાય .
કેટલાય ઈશ્વર નીકળી ગયા પણ આપણે તેને ઓળખી શક્યા નથી સમર્થ ગુરુ તેને ઓળખાવી શકે. બુદ્ધ પુરુષ વિશેષ પુરુષ છે ધ્યાનમાં કોઈને માધ્યમ બનાવવા પડે છે સમાધિમાં બધું પડી જાય છે. સમાધિ પુરુષો નીચે ઉતરી શકે છે. સમાધિસ્થ મહા પુરુષો ઇચ્છે ત્યારે અંતર્મુખ અને ઇચ્છે ત્યારે મળી બહી્ર્મુખ પણ થઈ શકે છે. રામ કાર્ય માટે શંકર હનુમાનજીનો બંદરનો અવતાર લીધો. બુદ્ધ પુરુષો કબીર, રમણ મહર્ષિ, અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ લોક મંગલાર્થે સૃષ્ટિમાં અવતરણ થયાં. એક ધારુ કોઈ વ્યક્તિ બેન બેટી ને જોવું તે સજ્જનો લક્ષણ નથી .માનસ એક ગૂઢ રહસ્યમય ગ્રંથ છે. ]
મહુવાની કથામા સાંજ સુધી કોઈ રસોડાની તૈયારી નહોતી અને બીજા દિવસે બપોરે 11:00 જલારામ બાપાની કૃપાથી બટુક બાપા આવી ગયા બધું હેમખેમ પાર પડી ગયું. સદગુરુ પર ભરોસો હોય તો બધું પાર પડે. એમ કહેવાય છે કાં તો તમે સદગુરુ પર બધું છોડી દો અથવા સદગુરુ ને છોડી દો. 90 મા અહીં કથા થઈ ત્યારેરે પણ આવું જ બન્યું હતું .ગણેશજી ની ઉંદર ઉપર ની સવારી બતાવે છે કે મહાન વ્યક્તિઓ કોઈ પર બોજો બનતા નથી. જેને પૃથ્વી પર કોઈ સ્થાન ન હોય તેનું સ્થાન એકાંત હોય.પહોંચલાઓ બુદ્ધ પુરુષોનું સ્થાન એકાત છે.” એકાંતે સુખમાસ્તે” તે ભીડમાં રહીને પણ એકાંત મેળવી લે છે.
બીજું તેનું સાધન છે મોહ અને ત્રીજુ કાર્ય છે પોતાનું સમ્યક નિત્યકર્મ. જે બીજાને રાહ બતાવે છે. આ કથા ના યજમાન તરીકે સેંજળ ગામને ગણાવવામાં આવ્યું.આ ગામની પ્રશંસા કરતાં બાપુએ કહ્યું ગામલોકોએ વ્યવસ્થામાં ખૂબ મદદ કરી છે. અને જ્યાંથી કથાનું શ્રવણ થાય ત્યાંથી કથા સાંભળીને સહકારી બન્યા છે. તેનો ઋણ સ્વીકાર કરીએ છીએ. આજની કથા ની વિશેષતાએ હતી કે પોથી કોઈ યજમાને ન લેતા પૂજ્ય બાપુએ પોતાના કર કમળોથી લઈને વિદાય લીધી.