લોકડાઉનમાં સમાજ-ઘર અને વ્યક્તિ પર થયેલી અસર
જયારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ સંપૂર્ણ પણે લોકડાઉં જાહેર કર્યું તો ભલભલા માણસ ના હાજા ગગડી ગયા હતા દરેક ના મન માં એકજ પ્રશ્ન ઉભો થયો હવે શું કરશું? પણ કેવાય છેઃ ને ખાલી દિમાગ શેતાન કા ઘર આ દરેક વ્યક્તિ ઉપ્પર સાબિત થયું આ ભારત બન્ધ દરમ્યાન આખા ભારત માં શું શું થયું એ આપણને તો ક્યાંથી ખબર હોય પણ આપડા ઘર માં શું શું થયું એતો ખબર હોય જ સર્વ પ્રથમતો દરેક ની દિનચર્યા બદલાઈ ગઈ જે લોકો એમ કેહતા હતા કે તું તો ઘરમાં જ રે છેઃ ને તારે વળી ક્યુ કામ હોય તે દરેકને ભાન પડીગયું કે શું શું કામ હોય છેઃ ચા બનાવવાથી લઈને રાત્રે સૂતી વખતે બેડરૂમની લાઈટ બન્ધ કરવા સુધી નું કામ હોય છેઃ ઘણા વ્યક્તિ ઓ સુધરી ને ઘરમાં મદદ કરતા થયા ને ઘણા થી ઉપ્પર ના સાવ બેફામ થયા જે દીકરીઓને ઘરકામ કરતા શીખી ગઈ રસોઈ બનાવતા આવડી ગઈ પરંતુ આનાથી ઉંધી પરિસ્થિતિ એક એવી પણ બની કે જયારે ટેલિવિઝન ના શૉ માં ક્રાઇમ પેટ્રોલ ના નવા શૉ આવ્યા સમાચાર પત્રો વાંચ્યા તો ન બનવાની ઘટના બની ને શરમ અનુભવાઈ કે આ મહામારીમાં પુરુષો બેફામ થયા.
લેખિકા દેસાઈ માનસી