રાજકોટ માં રાજપૂત કરણી સેનાએ બોલીવૂડ ફિલ્મના નામને લઈ વિવાદ, રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું
રાજકોટ માં રાજપુત કરણી સેનાએ આવેદનપત્રમાં અત્રે ઉલ્લેખનીય છે કે રાજપુત સમાજ પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણને પોતાના ભગવાન માને છે. કરોડો ભારતીયો માટે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ વંદનીય તથા પૂજનીય છે. કરોડો હિન્દુઓની આસ્થા વીર શીરોમણી પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલ છે. છેલ્લા એક વર્ષથી રાજપુત કરણી સેના આ ફિલ્મ અંગે ખૂલ્લેઆમ આગળ વધી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણીના નેતૃત્વમાં આ ફિલ્મના શુટીંગને રાજસ્થાનમાં રોકી દેવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં રાજપુત કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ દિલીપસિંહ રાજપુતને યશરાજ ફિલ્મ્સ સહિતના તમામ કલાકારો તથા નિર્માતા નિર્દેશક ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદીને પત્ર લખી આ ફિલ્મના સંદર્ભમાં તથા તેના નામકરણ અંગે પોતાનો વાંધાઓ દર્શાવ્યા હતા. તેમજ મુંબઈ પોલીસને પણ આવેદનપત્ર આપેલ હતુ. તાજેતરમાં જ, મે મહિનામાં યશરાજ ફિલ્મ્સને અલ્ટીમેટમ આપતા મુંબઈ પોલીસ કમિશનરને આ ભાવનાને ઠેસ પહોચાડવા બદલ ફિલ્મના નિર્માતા નિર્દેશન લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ બાબતે નોંધ લઈ નિર્માતા યશરાજ ફિલ્મ્સ તથા નિર્દેશક લેખક ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદીની વિરૂધ્ધ ધાર્મિક ભાવનાઓ સામે ઠેસ પહોચાડવા જાણી જોઈને રાજપુત સમાજને ઉશ્કેરવા તથા પ્રખર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની માનહાની બદનામી કરવા સામે ફોજદારી કેસ નોંધવા રજૂઆતના અંતે જણાવાયું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.