સૂક્ષ્મમાંનાં સ્પંદનોનો અભ્યાસ એ આધ્યાત્મિક પ્રગતિ માટે પાયાભૂત ઘટક
કોઈપણ ધાર્મિક અથવા આધ્યાત્મિક સંશોધન, પ્રશિક્ષણ હોય તેમાં સૂક્ષ્મમાંનાં સ્પંદનોનો અભ્યાસ અત્યંત મહત્ત્વનો હોય છે. (સૂક્ષ્મમાંનું જાણી લેવું અર્થાત્ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલેપાર રહેલું જ્ઞાન અથવા સ્પંદનો ઓળખવાં) એકાદ જીવને સાધના કરીને આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય, તો તેણે સૂક્ષ્મમાંનાં સ્પંદનોનો અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે. અધ્યાત્મમાંના આ પાસાંનો અભ્યાસ જેટલો વધારે, તેટલી સાધનામાં ભૂલભરેલા માર્ગથી ક્રમણ કરીને માનવી જન્મ વ્યર્થ જવાની સંભાવના ઓછી હોય છે. પર્યાયથી અધ્યાત્મમાંનું આ પાસું સમજી લેવાથી વ્યક્તિ તેના સાધના પ્રવાસમાં આધ્યાત્મિક દૃષ્ટિએ યોગ્ય નિર્ણય લઈ શકે છે, એવું ‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય’ના શ્રી. શૉન ક્લાર્કેં કહ્યું. ‘સૂક્ષ્મમાંનાં સ્પંદનોનો અભ્યાસ – ધાર્મિક શિક્ષણ અને સંશોધનનો પાયાભૂત ઘટક’ આ વિષય પર શોધનિબંધ પ્રસ્તુત કરતી વેળાએ શ્રી. ક્લાર્ક બોલી રહ્યા હતા.
કોર્દાબા, સ્પેન ખાતે ‘રિલિજન ઇન સોસાયટી રિસર્ચ નેટવર્ક એંડ કોમન ગ્રાઊંડ રિસર્ચ નેટવર્ક્સ’ નામક સંસ્થાએ એક અંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. તે ધર્મ અને અધ્યાત્મ વિષય પર આયોજિત સદર 11મી પરિષદમાં આ શોધનિબંધ પ્રસ્તુત કરવામાં આવ્યો. આ શોધનિબંધના લેખક પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે છે અને શ્રી. શૉન ક્લાર્ક સહલેખક છે. ‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય’એ વૈજ્ઞાનિક પરિષદમાં કરેલી આ 72 મી પ્રસ્તુતા હતી. આ પહેલાં ‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય’ વતી રાષ્ટ્રીય સ્તર પર 15, જ્યારે અંતરરાષ્ટ્રીય સ્તર પર 56 શોધનિબંધો પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને તેમને 4 અંતરરાષ્ટ્રીય પરિષદોમાં ‘ઉત્તમ શોધનિબંધ’ના પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે.
શ્રી. શૉન ક્લાર્કે સૂક્ષ્મમાંનાં સ્પંદનોનો અધિક અભ્યાસ કરવા માટે ‘પિપ’ અને ‘યુનિવર્સલ ઑરા સ્કેનર (યુ.એ.એસ.)’ આ ઉપકરણોનો ઉપયોગ કરીને કરેલા વિવિધ પ્રયોગો અને તેમનાં પરિણામોની પણ જાણકારી આપી.
પ્રયોગ 1. ‘પિપ’ અને ‘યુ.એ.એસ.’ ઉપકરણોનો ઉપયોગ કરીને આ પ્રયોગ અધ્યાત્મમાંના 3 ગ્રંથો પર કરવામાં આવ્યો. એમાંથી એક ગ્રંથ વિશ્વના લોકપ્રિય અધ્યાત્મ વિષયક માર્ગદર્શકે લખ્યો છે. આ ગ્રંથની લાખો પ્રતિઓ વેચાઈ ગઈ છે અને તેનો સમાવેશ ‘ન્યૂયોર્ક બેસ્ટ સેલર’ સૂચિમાં પણ છે. બીજો ગ્રંથ પોતાને અધ્યાત્મ વિષયક સંબોધિત ન કરનારા પણ અધ્યાત્મ વિષયક પુસ્તકો લખનારા લેખકે લખ્યો છે અને તેનું પણ ભારે પ્રમાણમાં વેચાણ થયું છે. તેનો સમાવેશ પણ ‘ન્યૂયોર્ક બેસ્ટ સેલર’ સૂચિમાં કરવામાં આવ્યો છે. ત્રીજો ગ્રંથ ભારતના પરાત્પર ગુરુદેવે લખ્યો છે. પરાત્પર ગુરુ અર્થાત્ જેમનો આધ્યાત્મિક સ્તર 90 ટકા કરતાં વધુ છે, એવા ઉચ્ચ સ્તરના ગુરુ. સંતોએ લખેલા ગ્રંથોમાંથી સર્વાધિક સકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યાં છે, એવું કસોટી દ્વારા સિદ્ધ થયું. અન્ય બે લેખકોના ગ્રંથોમાંથી વિવિધ સ્તર પર નકારાત્મક સ્પંદનો નિર્માણ થઈ રહ્યાં છે, એમ પણ ધ્યાનમાં આવ્યું.
પ્રયોગ 2. ઉપરોક્ત ગ્રંથો બે વ્યક્તિઓને પ્રત્યેક 20 મિનિટ વાંચવા માટે કહેવામાં આવ્યું. ‘યુ.એ.એસ.’ પ્રણાલી દ્વારા વ્યક્તિઓનું વાચન કરવા પહેલાંનું અને પછીનું પ્રભામંડળ માપવામાં આવ્યું. આ સમયે પ્રથમ બે પુસ્તકો વાંચીને ‘આ વ્યક્તિઓના પ્રભામંડળોમાં નકારાત્મકતા વધી છે’, એમ ધ્યાનમાં આવ્યું. ત્રીજો ગ્રંથ વાંચ્યા પછી આ બન્ને વ્યક્તિઓમાં નિર્માણ થયેલી નકારાત્મકતા નષ્ટ થઈ અને તેમનામાં સકારાત્મકતા નિર્માણ થઈ.
પ્રયોગ 3. આ પ્રયોગમાં ત્રણ ચિત્રકારોએ દોરેલાં મહાલક્ષ્મી દેવીનાં ચિત્રમાંથી પ્રક્ષેપિત થનારાં સ્પંદનોનો અભ્યાસ કરવા માટે ‘પિપ’ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાંથી એક ખ્યાતનામ ચિત્રકાર હતા, બીજા વ્યવસાયિક ચિત્રકાર હતા. ત્રીજા ‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય’ના ચિત્રકાર સાધક હતા, કે જેમણે આ ચિત્ર પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ દોર્યું હતું. તેમાંથી ખ્યાતનામ ચિત્રકારે દોરેલાં ચિત્રમાંથી સકારાત્મક કરતાં નકારાત્મક સ્પંદનો વધારે પ્રમાણમાં પ્રક્ષેપિત થતાં હતાં. વ્યાવસાયિક ચિત્રકારે દોરેલાં ચિત્રમાંથી સકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યાં હતાં અને ચિત્રકાર સાધકે દોરેલાં ચિત્રમાંથી અત્યાધિક પ્રમાણમાં સકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યાં હતાં.
પ્રયોગ 4. ત્રણ ચિત્રકારોએ દોરેલાં મહાલક્ષ્મી દેવીનાં ચિત્રમાંથી પ્રક્ષેપિત થનારાં સ્પંદનોનો અભ્યાસ ‘યુ.એ.એસ.’ પ્રણાલીની સહાયતાથી પણ કરવામાં આવ્યો. ત્યારે ખ્યાતનામ ચિત્રકારે દોરેલાં ચિત્રનું નકારાત્મક પ્રભામંડળ 1.35 મીટર જેટલું હતું. સાધક ચિત્રકારે દોરેલાં ચિત્રમાં નકારાત્મક સ્પંદનો નહોતાં, ઊલટું તેનું 2.56 મીટર જેટલું સકારાત્મક પ્રભામંડળ હતું.
પ્રયોગ 5. વિશ્વભરના વિવિધ ધાર્મિક સ્થળો પરથી લાવેલા જળના 24 નમૂનાઓનો અભ્યાસ ‘યુ.એ.એસ.’ ઉપકરણની સહાયતાથી કરવામાં આવ્યો. તેમાંથી 40 ટકા જળના નમૂનાઓમાંથી નકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યા હતાં. તેમાંથી એક જળના નમૂનાનું નકારાત્મક પ્રભામંડળ સર્વોચ્ચ અર્થાત્ 4.6 મીટર જેટલું હતું.
પ્રયોગ 6. આ પ્રયોગમાં મૂળ સ્વસ્તિક, ઊલટું સ્વસ્તિક, 45 અંશમાં ઝૂકેલું સ્વસ્તિક અને નાઝી સ્વસ્તિકમાંથી પ્રક્ષેપિત થનારાં સ્પંદનોનો અભ્યાસ ‘યુ.એ.એસ.’ ઉપકરણની સહાયતાથી કરવામાં આવ્યો. તેમાંથી કેવળ મૂળ સ્વસ્તિક ચિહ્નમાં સકારાત્મક પ્રભામંડળ હતું, જ્યારે અન્ય સર્વેને નકારાત્મક પ્રભામંડળ હતું. નાઝી સ્વસ્તિક ફરતે રહેલું નકારાત્મક ઊર્જાનું પ્રભામંડળ હજીસુધી કરવામાં આવેલાં આધ્યાત્મિક સંશોધનમાં જોવામાં આવેલું સર્વાધિક છે, એવું શ્રી. ક્લાર્કેં કહ્યું.
પ્રયોગ 7. આ પ્રયોગમાં 4 પ્રકારની સંગીતશૈલીનું વ્યક્તિ પર થનારું પરિણામ ‘યુ.એ.એસ.’ ઉપકરણ દ્વારા માપવામાં આવ્યું. તેમાંથી ‘હેવી મેટલ’ સંગીત સાંભળીને નકારાત્મકતા વધી, શાંત સંગીતનું કાંઈ પરિણામ જણાયું નહીં, એક પ્રસિદ્ધ ગાયકના અવાજમાં ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળ્યા પછી કેટલાક પ્રમાણમાં સકારાત્મકતા વધી અને એક સંતએ ગાયેલું ભક્તિસંગીત સાંભળીને પુષ્કળ પ્રમાણમાં સકારાત્મકતા વધી.
આ પ્રયોગોનો નિષ્કર્ષ કહેતી વેળાએ શ્રી. ક્લાર્કેં કહ્યું, ‘સાધનાના મૂળભૂત સિદ્ધાંત અનુસાર નિયમિત સાધના કરવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ સકારાત્મક ઊર્જા મળે છે અને નકારાત્મક ઊર્જા ન્યૂન થાય છે. તેમજ સાધનામાંની નિરંતરતાને કારણે થોડા સમય પછી આધ્યાત્મિક દૃષ્ટિએ સકારાત્મક અને નકારાત્મક સ્પંદનોમાંનો ફેર પણ સમજાવા લાગે છે.’
શ્રી. રૂપેશ રેડકર (સંશોધન વિભાગ)
મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય,
સંપર્ક : 9561574972