કોરોનામાં કારીગરોને સાચવનાર કારખાનેદારોને ટેકસમાં રાહત નહીં !
રાજ્ય સરકારે હોટલ ઇન્ડસ્ટ્રીઝ અને મલ્ટિપ્લેક્સ, મોલને રાહત આપી છે, તો કોરોના કાળમાં કારીગરોને સાચવનારા કારખાનેદારોને પ્રોપર્ટી ટેકસમાં રાહત કેમ નથી ? એવો પ્રશ્ન ઉઠયો છે. લોક ડાઉન દરમિયાન કારખાનેદારોએ તો ઉછીના લઇને પણ કારીગરોને રોજીરોટી આપી છે.સરકારનું વલણ એકને ખોળ અને બીજાને ગોળ જેવું પક્ષપાતી હોય એવું ટેક્સટાઇલ ઉદ્યોગકારોને, ખાસ કરીને નાના એકમોના સંચાલકોને લાગી રહ્યું છે. લોક ડાઉન હોવાછતાં, સરકારની સૂચનાને આધારે નાના-મોટા ઉદ્યોગકારોએ પોતાના એકમો ચાલુ રાખીને રોજગારી પૂરી પાડી હતી.