સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પડધરી ખાતે કેમ્પસ સફાઇ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પડધરી ખાતે આજ રોજ
કેમ્પસ સફાઇ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પડધરી ખાતે તારીખ ૧૦/૦૬/૨૦૨૧ને ગુરુવારના રોજ કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી. આર્મી યુનીટના સંયુક્ત ઉપક્રમે કેમ્પસ સફાઇ અને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય શ્રી ડૉ. એન.એસ.ઠાકરના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ કૉલેજના એન.સી.સી. કૉ-ઓડીનેટર શ્રી સંદીપભાઇ વાળા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડૉ.ધર્મેશ આર. પરમાર, એન.સી.સી. કેડેટ અને એન.એસ.એસ.ના સ્વયંમ સેવકો દ્વારા કોરાનાની મહામારીને ધ્યાનમા રાખી સામાજિક અંતર અને માસ્કનું ચુસ્તપણે પાલન કરી કોલેજ કેમ્પસમા વૃક્ષારોપણ કારવામા આવ્યુ તેમજ કેમ્પસ સફાઇ કરવામાં આવી હતી.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પડધરી કૉલેજના આચાર્યશ્રી ડૉ. એન.એસ.ઠાકર, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડૉ.ધર્મેશ આર. પરમાર, એન.સી.સી. કૉ-ઓડીનેટર શ્રી સંદીપભાઇ વાળા તથા કૉલેજના તમામ ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ, તથા વિધાર્થીઓએ વિશેષ જહેમત ઉઠાવીને કાર્યક્રમના હેતુને સિધ્ધ કર્યો હતો.
રિપોર્ટ : નિખીલ ભોજાણી