ઉનાનાં સૈયદ રાજપરામાં તાઉતે વાવાઝોડાએ જે ખાનાખરાબી સર્જી તેની એક તસ્વીર
“માથા પરથી છત તો ગઇ , આશરો ફક્ત ૪ દિવાલનો”
ઉના પંથકમાં તાઉતે વાવાઝોડાએ જે ખાનાખરાબી સર્જી તેની એક તસ્વીર છે. દરિયાકાંઠાના સૈયદ રાજપરામાં જાણે કાચા મકાનો તો ધરાશાયી જ થયા. જે બચ્યા એની ફક્ત 4 દિવાલો છે. માથે થી છાપરાં-નળિયાની છત પવને ક્યાંય ઉડાડી દીધી . કેટલાક લોકોએ કામચલાઉ 4 દિવાલો પર તાલપત્રી બાંધી છે પણ ચોમાસું આવી પહોંચ્યું છે ત્યારે એ કેટલી કારગર નિવડશે એતો સમયજ બતાવશે . સરકાર તરફથી સહાય ક્યારે મળશે ? એની રાહ જોવી મુશ્કેલ બની છે.
રિપોર્ટ:- હર્ષદ બાંભણીયા, ઉના