ગુજરાતી હાસ્ય કલાકાર ખજુરભાઈ ગીરગઢડાનાં સોનારીયા ગામના ત્રણ પરિવારોને મકાન બનાવી આપશે
છેલ્લા કેટલાંક દિવસો થી ગુજરાતમાં જેની સેવાઓની ઠેર ઠિર ચર્ચા થઈ રહી છે . તેવા હાસ્ય કલાકાર ખજુરભાઈ એટલે કે નીતીનભાઈ જાનીએ સૌરાષ્ટ્રમાં અનેક પ્રકારની સેવા કરી અને સિવાની જ્યોત જલાવી છે . તેમણે અગાઉ ચાર પરિવારોને મકાન બનાવી આપ્યા છે . ત્યારે આજે ફરી ત્રણ પરિવારોના મકાન બનાવી આપવાની જાહેરાત કરી છે . આજે ખજુરભાઈ અને તેની ટીમએ
સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના સોનારીયા ગામની મુલાકાત લીધી હતી ત્યારે આર્થિક રીતે ૩ નબળા પરિવારોની હાલત જો ઈને સ્થળ ઉપર જ આ પરિવારોના મકાન બનાવવાનું નકકી કરેલ અત્રે વાંચકમિત્રોને એ જણાવી દઈએ કે , ખજુરભાઈ જે જાહેરાત કરે છે . તે કામ કરીને જ અગાઉ ખજુરભાઈએ રાજુલા તાલુકાના વાવડી ગામે ગીતાબેનનું
મકાન બનાવી દીધું છે . જ્યારે ઉના તાલુકાના સીમર ગામે માલુબેનના મકાનનું નિર્માણ કાર્ય ચાલું છે . તેમજ સીમર ગામે એક બ્રાહ્મણ પરિવારને મકાનના પતરા અને પીઢીયા નાખી દીધેલ છે . ખજુરભાઈની આ સેવાની પુરાએ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે . અને સૌ તરફથી ખજુરભાઈને શુભેચ્છાઓ અને અભિનંદન પણ મળી રહ્યા છે .
રિપોર્ટ:- હર્ષદ બાંભણીયા, ઉના