રાહુલ ગાંધી : દૂરદર્શી નેતા
પક્ષાપક્ષીથી ઉપર ઉઠી લોકહિત માટે કઈ પણ કરી છૂટવા સદૈવ તત્પર રહેનાર, આ દેશનું ભવિષ્ય ગણાય એવા યુવાવર્ગનો અક્ષીર અવાજ બનીને સદૈવ આગળ રહેનાર, સદૈવ લોક લાગણી સાથે જોડાયી ખભે-ખભો મિલાવી હાજરી આપી સાથે ને સાથે રહેનાર, આજના આ કોરોના જેવા કપરા સમયમાં પણ જરૂરીયાતમંદ લોકોની મુશ્કેલીઓને અવગણતી સરકારને ઢંઢોળીને જગાડવા હંમેશા પ્રયત્નશીલ રહેનાર, શાંત ચિત્ત અને ધૈર્ય ધરી પોતાના પથ પર અડગ રહી આગળ વધનાર,લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવાં યુવાનેતા શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. રાજનૈતિક પક્ષો જ્યારે રાજનૈતિક રમતોમાં મસ્ત હતા ત્યારે એક સાચા નેતા તરીકે રાહુલ ગાંધી જનતાની મુશ્કેલીઓ જાણવામાં તેમજ એનો ઉકેલ લાવવામાં વ્યસ્ત હતા..
આપણે સૌ જાણીએ છે તેમ લોકહિતને પ્રથમ પ્રાધાન્ય આપનાર રાહુલ ગાંધીએ તારીખ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ કોરોના વાયરસને ગંભીરતાપૂર્વક લેવા માટે સૂચન કર્યું હતું પરંતુ સરકારશ્રી ત્યારે જુદી જુદી ઇવેન્ટ કરવામાં વ્યસ્ત હતી કે પછી એવું પણ કહી શકાય કે જાણી જોઈને જનતાના જીવને જોખમમાં મૂકી રહી હતી. તે પછી પણ રાહુલ ગાંધીએ પ્રજાહિતને લગતા ઘણા સૂચનો કર્યા હતાં જેમ કે ગરીબ અને મધ્યમ વર્ગને નકદ સહાય, લઘુ – સુક્ષ્મ તેમજ નાના ઉદ્યોગોને મદદ, પરપ્રાંતીય મજૂરોને મફત અને સલામત તેમનાં વતન પહોંચાડી મનરેગા રોજગાર ૨૦૦ દિવસનો કરવામાં આવે.. અને માત્ર એટલું જ નહીં મુશ્કેલીમાં સમયમાં સાથ આપવા, શ્રમિકોના પ્રશ્નો સમજવા તેમજ તેમને મદદ કરવા નેતા નહીં પણ દીકરા બનીને તેઓ શ્રમિકો સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા તે આપણે સૌ જાણીએ છે એ સિવાય કોંગ્રેસ દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડવા માટે ટિકિટ ભાડાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ સમય દરમ્યાન સરકારશ્રીને સાથ આપવાના હેતુથી રાહુલ ગાંધીએ ઘણા વિશેષજ્ઞો ની સલાહ પણ લીધી હતી જેમાં તેમણે વિવિધ અર્થશાસ્ત્રીઓ તેમજ નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી તેમજ વિવિધ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના માધ્યમથી જનતાના મનના સવાલો જાણી તેના જવાબો આપવાનો પ્રયત્ન કર્યો હતો. મા. રાહુલ ગાંધી માટે જનહિત જ સર્વોપરી છે ત્યારે અત્રે ઉલ્લેખ કરવો જ રહ્યો કે રાહુલજી દ્વારા છેલ્લા ૩ વર્ષથી તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો નથી તદુપરાંત સંપૂર્ણ વર્ષ દરમ્યાન તેમના દ્વારા સેવાકાર્યો તેમજ પ્રજાહિતના મુદ્દા જ સર્વોપરી રહ્યા છે જેમ કે તમામ નાગરિકો માટે ફ્રી રસીકરણ, બેરોજગારી – મોંઘવારીના પ્રશ્નો, કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ રાહુલ ગાંધીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં ઓકસીજન સપ્લાય, દવા સપ્લાય તેમજ અન્ય સેવાકીય કાર્યો. જનસેવામાં જ પ્રભુસેવા જોનાર,કોંગ્રેસ પક્ષની વિચારધારાને આગળ લઈ જઈ યુવાનોના નવા વિચારો સાથે તાલમેલ સાધી, દેશને એક નવી દિશા તરફ આગળ લઈ જનાર કોંગ્રેસ પક્ષના મજબુત મનોબળ એવા શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસ પર ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા.પરમ કૃપાળુ પરમેશ્વર આપને સૂર્યનું તેજ, કર્મની શક્તિ અને ચિરાયુ બક્ષે તેવી હૃદયપૂર્વક શુભેચ્છા.