PLV ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી
યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિનો શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલીનો એક સંકલિત ભાગ છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છે. ૨૧મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આજ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧ મી જૂનને વિશ્વયોગ દિવસ મનાવવા માટે સને ૨૦૧૫ મા સંયુક્ત રાષ્ટ્રની સભામાં સૂચન કર્યું હતુ. જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતિ દર્શાવી હતી. આજે વિશ્વના લગભગ ૧૭૦ દેશોના લોકો આ દિવસની ઉજવણી કરે છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી અનિલ કક્કડ, દિનેશ દવે અને ક્રિષ્નાબા વાઘેલા ના સંયુક્ત પ્રયાસો થી ગાંધીનગર ના સેક્ટર ૪, ૨૨, અને ૨૩ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ૨૧મી જૂન ના પારંપરિક રીતે ઉજવણી કરવામા આવી હતી. વિવિધ વિસ્તારના સ્થાનિક નાગરિકો સાથે રહી યોગા, આસનો, લાફીંગ અને કસરતો કરવામા આવી હતી. સેક્ટર ૨૨ મા ઉપસથિત સભ્યો એ “ યોગા દિવસ ઝિંદાબાદ”, “ લાફીંગ કલબ અમર રહો”, અને “કોરોના વાપસ મત આના” , જેવા સુત્રો ના નારા લગાવ્યા હતા. સેક્ટર ૪ મા ટીમ ના સભ્ય શ્રી અનિલ કક્કડ, એ સ્ટ્રેસ, લોહી ના પરિભ્રમણ અને ડાયાબીટીસ મા યોગા કઇ રીતે ઉપયોગી થાય છે તે બાબતે વૈજ્ઞાનિક અને તબીબી સિધ્ધાંતો ઉપર જાણ કારી આપી લોકો ને અનુરોધ કર્યો હતો કે આખા વર્ષમા માત્ર એક જ દિવસ યોગા કરવાને બદલે તેને જીવન પર્યંત સંકલ્પ બનાવવો જોઇએ.