સમર્થશ્રી પ્રાગદાસબાપા રામવાડી-૧માં ખાતે રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે અન્નપૂર્ણા હોલ નું ઉદઘાટન
સમર્થશ્રી પ્રાગદાસબાપા રામવાડી-૧માં ખાતે રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે અન્નપૂર્ણા હોલનું શુભ ઉદઘાટન કરી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.
હાલમાં કોરોના મહામારીનો સામનો દરેક જનસમુદાય કરી રહ્યો છે , ત્યારે કોરોનામાં ઓકિસજનની ઉણપથી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે , ત્યારે લોકોને ખરા અર્થમાં ઓક્સિજન શું છે , તેની સમજ આવી ત્યારે વૃક્ષો વિના પ્રકૃતિ સોંદર્ય નકામું છે .કારણ કે વૃક્ષો આશરો સચવાઈ રહે તે હેતુ થી બધાએ સીઝન દરમ્યાન વૃક્ષો વાવી જતન કરવાનો સંકલ્પ કરવો જોઇએ .આ કથાકાર રમેશભાઈ ઓઝા,ભારતી આશ્રમ ના મહંત હરિહરાનંદ બાપુ.ભજન સમ્રાટ નિરંજન પંડ્યા. જૂનાગઢ મનપા કમિશનર રાજેશ તન્ના,યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, પ્રદેશ યુવા ભાજપ ઉપ પ્રમુખ મનીષ સંઘાણી, માજી ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, પરમ પૂજ્યશ્રી પ્રાગદાસબાપા ગોદડીયા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એન. પી. પટેલ સહિત તેમના ગાંધીનગરના મિત્રઓએ નેચર ફર્સ્ટના નેજા હેઠળ આવનાર તમામ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તેમજ પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી-૧ ખાતે વેસ્ટન એગ્રી સીડ્સ દ્વારા ૧૮મો પર્જન્ય યજ્ઞ- વરુણ યજ્ઞ કરવામાં આવ્યો હતો.તેમજ કોરોના નાબુદી યજ્ઞ સહિત કોરોનામાં મૃત્યુ પામેલ લોકોની આત્માની શાંતિ માટે શાંતિ પ્રાથના રાખવામાં આવેલ હતી…