આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત હળવદ પહોંચી ‌મોટી સંખ્યામા તાલુકા વાસીઓ આપ ‌મા જોડાયા

આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત હળવદ પહોંચી ‌મોટી સંખ્યામા તાલુકા વાસીઓ આપ ‌મા જોડાયા
Spread the love

આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત હળવદ પહોંચી ‌મોટી સંખ્યામા તાલુકા વાસીઓ આપ ‌મા જોડાયા

કવાડીયા .માથક હળવદ શહેરમાં. આમ આદમી પાર્ટીના નેતાઓ સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએા ઉપસ્થિત રહ્યા હતા

હળવદના કવાડીયા ખાતેથી હળવદ શહેરમા આવી પહોંચેલી આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાતમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં કોરોનામા સદગત પામેલા જીવાત્માઓને શ્રધ્ધાંજલી પાઠવીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો તો સાથે ભાજપ પાર્ટી પર આકરાં પ્રહારો કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તેવું જ મોડલ ગુજરાતમાં ઉભું કરવામાં આવશે જેથી કરીને લોકોને સારું શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં આવે આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા કોરોના મૃત્યુ પામેલ સદગત જીવાત્માઓને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી અને જન સંવેદના મુલાકાત દરમિયાન લોકોને આમ આદમી સાથે જોડવામાં આવી રહ્યાં છે ત્યારે‌ મંગળવારે કવાડીયા બાદ હળવદ શહેરમાં જન સંવેદના મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ આકરા પ્રહારો કર્યા હતા વિકાસની રાજનીતિ કરવામાં માટે ચેલેન્જ આપી હતી જેમાં જણાવ્યું હતું કે લોકોને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય, સારું રોડ રસ્તાઓ, લાઈટ, ઉભરાતી ગટરો તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી રાજનીતિ કરવી જોઈએ પરંતુ ભાજપ પોતાની અદેખાઈ દેખાડી રહી છે આજના જન સંવેદના મુલાકાત દરમિયાન અજીતભાઈ લોખિલ પ્રદેશ સંગઠન મંત્રી,પ્રવીણ રામ ,ગોપાલભાઈ વાલાણી,નૈમીશભાઈ પાટડીયા,વિપુલ રબારી, હિતેશભાઈ વરમોરા,ચંદુભાઈ મોરી,અનીલભાઈ પટેલ, હિતેશ ભાઈ મકવાણા,દીપભાઈ પારેજીયા સહિત મોટી સંખ્યામાં આપના હોદ્દેદારો અને કાર્યકરોઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210720-WA0155-0.jpg IMG-20210720-WA0152-1.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!