મોડાસામાં અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાનું ભવ્ય સંમેલન યોજાયું
મોટી ઇસરોલ ગુજરાત પ્રદેશ બક્ષીપં ચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડે
જણાવ્યું કે રાષ્ટ્ર પ્રથમ..જેનું રાષ્ટ્રનું ગૌરવ કરીએ છીએ એ રાષ્ટ્રના આપણે સંતાન છીએ.એ આપણું ગૌરવ છે.આ દેશ જ્યારે વિશ્વમાં મજબૂત થતો જાય છે તેમ વિદેશી તાકાતો દેશને તોડવાની હીન પ્રવૃત્તિ કરે છે, આ દેશનો સપૂત કે જેની તરફ સમગ્ર વિશ્વની મીટ છે એવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર માટે સમર્પિત જીવન આપણા સૌના માટે પ્રેરણા,ઉર્જા અને શક્તિ આપનારું છે.
આપણે સતત જનતાની સેવામાં કાર્યરત રહીએ અને સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એને ચરિતાર્થ કરીએ.
મોડાસા ખાતે આજરોજ યોજાયેલ અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાના તમામ ૬ તાલુકાઓ અને બે શહેર મળી ૮ મંડલોના કાર્યકર્તાઓના ભરચક સમેલનમાં બોલતા
ઉપર બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડે મુજબ જણાવ્યું હતું.
આ સમેલનના પ્રારંભે જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર ભાઈ પટેલ અને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સુરેશભાઈ ઠાકોરે સૌને આવકાર્યા હતા.પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી મયંકભાઈ નાયક,જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ,સહ પ્રભારી ગીરીશભાઈ જગાણિયા
જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી રાજુભાઇ પંચાલ
વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ સમેલનમાં અરવલ્લી જિલ્લાના મહામંત્રીઓ
ભીખાજી ઠાકોર,હસમુખભાઈ પટેલ, શૈલેષભાઇ ભોઈ,જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ વનિતાબેન પટેલ,પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી,જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી ધવલસિંહ ઝાલા,ભીખીબેન પરમાર, ભીખુસિંહ પરમાર,અદેસિંહ, પી.સી. બરંડા, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર
બક્ષીપંચ મોરચાના મહામંત્રી આશિષ જયસ્વાલ,રંગુસિંહ પરમાર સહિત મોરચાની ટિમ ,જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખો તેમજ વિવિધ સમીતિઓના ચેરમેનો ઉપરાંત તમામ આઠ મંડલોના જિલ્લા ભરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન
મોડાસા શહેર ઉપપ્રમુખ અશોકભાઈ શ્રોફ અને મહામંત્રી
હસમુખભાઈ પટેલે કર્યું હતું..જ્યારે અંતમાં આભાર
વિધિ મહામંત્રી ભીખાજી ઠાકોરે કરી હતી.
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ