દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરૂકુળ નું ગૌરવ વધારતી વિદ્યાર્થીની કુ.નેહા પરમાર
દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરૂકુળ નું ગૌરવ વધારતી વિદ્યાર્થીની કુ.નેહા પરમાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષામાં 94 ટકા (99.21 PR) સાથે શાળામાં પ્રથમ ક્રમાંકે
દામનગર શિક્ષણ, સંસ્કાર અને જીવન ઘડતર માટે જે હમેશા અગ્રેસર છે એવા શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દામનગર (ગુરુકુળ) સંચાલિત શ્રી ઉત્તમચંદ મોરારજી અજમેરા હાયર સેકન્ડરી સકૂલની વિધ્યાર્થિની કુ. નેહા કનુભાઈ પરમારએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષામાં 94 ટકા (99.21 PR) સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી દામનગર શહેર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. એચ.એચ.સી. બોર્ડની વિગ્નાન પ્રવાહની પરીક્ષામાં અમરેલી જીલ્લામાં કુલ 15 વિધ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે જે પૈકી દામનગર ગુરુકુળના 2 વિધ્યાર્થીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તેજસ્વી વિધ્યાર્થિની નેહાએ S.S.C. બોર્ડમાં પણ 93.12 ટકા સાથે સમગ્ર લાઠી તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. H.S.C. માં કોઈપણ ભોગે 90 ટકા ઉપર લાવવાના ધ્યેય સાથે નેહાએ કોવિડકાળમાં બદલાયેલ અભ્યાસ પધ્ધતિમાં ઓનલાઇન શિક્ષણમાં પણ સખત મહેનત કરી પોતાનું સપનું સાકાર કર્યું છે. સાયન્સ પ્રવાહમાંં ઉચ્ચ પરિણામ મેળવનાર નેહાને શાળા પરિવારે અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણ અને કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે શિક્ષણ એ મુખ્ય આધારસ્તંભ છે. તેથી ઉજ્જવળ ભવિષ્ય માટે અને દેશના સુસંસ્કૃત નાગરિક બનવા માટે ભણવાની ઉમરે દરેક વિધ્યાર્થીએ મન લગાવીને ભણી લેવું જોઇએ એવી શીખ નેહાએ આપી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા