આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ મહિનાના પેહલા સોમવાર સાથેની શુભ શરૂઆત, જાણો મહાદેવ ને પ્રસન્ન કરવાના ઉપાય..
*આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ મહિનાના પેહલા સોમવાર સાથેની શુભ શરૂઆત, જાણો મહાદેવ ને પ્રસન્ન કરવાના ઉપાય..*
અરવલ્લી :આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમારા કષ્ટ દૂર થશે. ધાર્મિક માન્યતા અનુસાર આ મહિનામાં વ્રત અને પૂજા કરવાથી ભોલેનાથનો આર્શિવાદ મળી રહે છે. એટલું નહીં અનેક લોકો આ મહિનામાં વ્રત અને પૂજા કરે છે. ભગવાન શિવ ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો બિલિપત્ર, ભાંગ, ધતૂરો વગેરે ચઢાવે છે. આ ભગવાન શિવને પ્રિય હોય છે. શિવપુરાણમાં બિલિપત્ર સિવાય અન્ય પાન ચઢાવવાનું શુભ માનવામાં આવ્યું છે. તો જાણો કયા પાન ચઢાવવાથી શું લાભ થાય છે.
શિવજીને ભાંગ પ્રિય છે. શ્રદ્ધાળુઓ ભોલેનાથને પ્રસન્ન કરવા ભાંગના પાન ચઢાવે છે. માન્યતા છે કે આ પાન ચઢાવવાથી દુઃખ દૂર થાય છે. આ એક ઔષધિ છે. ધાર્મિક માન્યતા અનુસાર શિવજીએ વિષપાન કર્યું ત્યારે વિષથી ઉપચાર કરવા માટે દેવતાને ભાંગના પાન ચઢાવાયા હતા.
શાસ્ત્રો મુજબ, ભગવાન ભોલેનાથ પોતાના પગમાં ચાંદીનું કડું ધારણ કરે છે. એ જ કારણ છે કે શ્રાવણના સોમવારના પગમાં ચાંદીનું કડું ધારણ કરવું શુભ માનવામાં આવે છે. જો તમે પણ શ્રાવણના સોમવારના દિવસે ચાંદીનું કડું ઘરે લાવો છો તો તીર્થ યાત્રાના શુભ યોગ બની શકે છે.
હિન્દુ ધર્મમાં ગંગાજળને સૌથી પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવાથી તમને તમારું મનગમતું ફળ મળે છે. ધાર્મિક ગ્રંથો મુજબ, સોમવારના દિવસે ગંગાજળ ઘરે લાવીને રસોડામાં રાખવાથી વ્યક્તિનો ભાગ્યોદય થઈ શકે છે. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યનીમા વધારો થાય છે.
વેદ અને પુરાણો મુજબ, ભોલેનાથને ભસ્મ ખુબજ પ્રિય હોય છે. શ્રાવણના મહિનામાં ઘરના મંદિરમાં ભસ્મ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ શ્રાવણના મહિનામાં શિવલિંગ પર પણ ભસ્મ ચડાવવી જોઈએ, આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનના બધા જ દુઃખોનો નાશ થાય છે. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિ માલામાલ થઈ જાય છે.
રિપોર્ટ : યોગેશ પટેલ ,અરવલ્લી