ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા નગરપાલિકા માં મુકાદમની ફરજ પરથી નિવૃત થયા.
ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા નગરપાલિકા માં મુકાદમની ફરજ પરથી નિવૃત થયા.
ખેડબ્રહ્મા નગરપાલિકામાં ફરજ બજાવતા ઈશ્વરભાઈ મકવાણા તારીખ 27- 5- 81 થી નગરપાલિકા ખેડબ્રહ્માના મુકાદમ ની ફરજ સંભાળતા હતા
ખેડબ્રહ્મા નગરપાલિકા માં પાયાના કર્મચારી તરીકે ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી તારીખ 31-8-2021ના રોજ વય મર્યાદા પુણૅ થતાં મુકાદમની ફરજ પરથી માનભેર નિવૃત્ત થયા હતા
ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા શાલ, શ્રીફળ તેમજ સન્માનપત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે નગરપાલિકા સ્ટાફ મિત્રોએ, નગર પાલિકા સદસ્યોએ અને ખેડબ્રહ્મા નગરજનોએ તેમજ તેમના સમાજના આગેવાનો દ્વારા પણ શાલ, શ્રીફળ,શાફો તેમજ મોમેન્ટો આપી વિશિષ્ટ રીતે તેમનું સન્માન કર્યું હતું.
સાથે નિવૃત્તિ પછીનું તેમનું શેષ જીવન સુખમય તેમજ તંદુરસ્ત રહે અને સમાજ ઉપયોગી બની રહે તેવી ઉપસ્થિત સૌ મહાનુભાવો એ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઈશ્વરભાઈ મકવાણા ને
ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ સાગરભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રમુખ જીગ્નેશ ભાઈ જોશી, કારોબારી સભ્ય પ્રવિણસિંહ સોલંકી, ઓફિસર , નગર પાલિકા સદસ્યો, નગરપાલિકા નો સ્ટાફ તેમજ તમામ સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા