વિધવા બહેનોની ચિંતા કરી સરકારશ્રી મદદ કરી રહી છે
વિધવા બહેનોની ચિંતા કરી સરકારશ્રી મદદ કરી રહી છે
જૂનાગઢ : આંબલિયા ગામે રહેતા હંસાબેન કરસનભાઈ ભેડાએ જણાવ્યું હતું કે, મારા પતિ કોરોનામાં અવસાન પામ્યા છે. મારે ૧૩ વર્ષનો દીકરો છે. અમે માતા-પુત્ર ભાડાના મકાનમાં રહીએ. સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે મેં ફોર્મ ભર્યું હતું. જે મંજૂર થતાં નવું મકાન બનાવવા માટે મને ૧.૨૦ લાખ રૂપિયાની સહાય મળશે. હવે ખાલી પડેલા પ્લોટ પર અમે અમારુ ઘરનું ઘર બનાવીશુ અને માતા પુત્ર સાથે રહીશે. અમે સરકાર અને વહિવટીતંત્રના આભારી છીએ જેમણે અમને ખરા સમયે મદદ કરી છે. માણાવદર ખાતે ઘરવિહોણાં ૨૨૭ ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુરી પત્ર વિતરણ સમારોહ પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં આંબલિયાના હંસાબેનને મકાન સહાય માટે મંજુરી પત્ર આપવામાં આવ્યો હતો.