રાજકોટ નો આજીડેમ-૧ ઓવરફ્લો થતા નવા નીરના વધામણાં કરી હરખ વ્યક્ત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ

રાજકોટ નો આજીડેમ-૧ ઓવરફ્લો થતા નવા નીરના વધામણાં કરી હરખ વ્યક્ત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ
Spread the love

રાજકોટ નો આજીડેમ-૧ ઓવરફ્લો થતા નવા નીરના વધામણાં કરી હરખ વ્યક્ત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ.

રાજકોટ માં તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજીડેમ-૧ આજે સાંજે ૪:૧૫ વાગ્યા આસપાસ છલકાવાનું શરૂ થયું હતું. રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો ન્યારી-૧ ડેમ છલકાઇ ગયા બાદ હવે આજીડેમ-૧ પણ છલકાઈ જતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. આનંદના આ અવસરે રાજકોટ શહેર મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષના નેતા શ્રી વિનુભાઈ ધવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્ક્સ કમિટીના ચેરમેનશ્રી દેવાંગભાઈ માંકડ સહિતના મહાનુભાવો આજે સાંજે આજીડેમ-૧ ની મુલાકાતે ગયા હતા, અને નવા નીરના વધામણાં કરી હરખ વ્યક્ત કર્યો હતો. આ નોંધનીય બનશે કે, આજીડેમ-૧ ૧૭ મી વખત ઓવરફ્લો થયો છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!