ખનનો અનડીટેઇક ગૂન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાલાલા પોલીસ
તાલાલા પોલીસ સ્ટેશન ફોન નંબર:(0) ૦૨૮૭૭-૨૨૨૨૩૩ તા.૧૮/૦૯/૨૦૨૧
જી ગીર સોમનાથ :ખનનો અનડીટેઇક ગૂન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાલાલા પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરપ્રતાપસીંગ પવાર સાહેબશ્રી, જુનાગઢ રેન્જ, જુનાગઢ નાઓની સુચના અનુસાર શરીર સંબંધીત ગંભીર પ્રકારના બનતા ગુન્હાઓ અટકાવવા તથા કડક કાર્યવાહી કરવા તથા પોલીસ અધીક્ષક શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ ના આદેશ મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના ગુ.૨.નં.૧૧૧૮૬૦૦૩૨ ૧૦૪૪૯/૨૦૨૧ IPC કલમ ૩૦૨, GPAct ૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૭/૦૯/૨૦૨૧ ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે ગલીયાવડ રોડ ઉપર આવેલ હીરણનદીના પુલ પાસે બનેલ હોય જે ગુન્હાના ફરી. જગદીશભાઇ ઉર્ફે જગો અરજણભાઇ કેશવાલા હે.જેપુર વાળા હોય જે ગુન્હામા શકદાર આરોપી તરીકે હસમુખભાઇ કાળાભાઇ કામળીયા રહે.મુળ ધણેજ વાળાનુ નામ આવતા તેઓને તાલાલા પો.સ્ટે. લાવી આગવી ઢબ થી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતા જણાવેલ કે આ કામના મરણજનાર વિજયભાઇ ઉર્ફે અતુલભાઇ કેશવાલા રહે.જેપુર વાળાનોઓનો પોતાની પત્ની સાથે આડા સંબંધ હોય જે બાબતની પોતાને જાણ થતા પોતે દુકાનમાથી એક તીક્ષણ હથીયાર (છરી) લઇ મરણજનારનો પીછો કરી આવવરૂ જગ્યા ગલીયાવડ રોડ પુલ પાસે ઘાત લાગાવી મરણજનાર વીજય ઉર્ફે અતુલ અરજણભાઇ કેશવાલા રહે જેપુર વાળાની મો.સા. રોકાવી છરીના ઘા છાતી તથા ગાળાના ભાગે મારી જાનથી મારી નાખી નાશી ગયેલ હોવાનુ જણાવતો હોય
જેથી યોગ્ય પુરાવા એકત્રીત કરી શકદાર આરોપી હસમુખભાઇ કાળાભાઇ કામળીયા રહે.મુળ ધણેજ હાલ તાલાળા વાળાઓને ગણતરીના કલાકોમાં પકડી લઇ ઉપરોકત ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ધોરણસર અટક કરેલ છે. અને આ સમગ્ર કામગીરીમા તાલાલા સી.પી.આઇ.પો.ઇન્સ. શ્રી એમ.યુ.મસી સાહેબની મદદ થી તથા તાલાલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એમ.કે.મકવાણા નાઓની સુચના મુજબ એ.એસ.આઇ. એલ.બી.બાંભણીયા તથા એ.એસ.આઇ.નંદલાલભાઈ ધ્રાંગડ તથા પો.હેડકોન્સ. કે.આર.કારીયા તથા પો.હેડકોન્સ.વિનોદભાઇ ગોહીલ તથા પો. હેડ.કોન્સ. જે.ડી.પરમાર તથા પો.હેડ કોન્સ.પ્રતિપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પો. હેડ. કોન્સ. ધવલભાઇ જગદીશભાઇ મહેતા તથા પો.કોન્સ. મહેશભાઇ સોસા તથા પો.કોન્સ. કલ્પેશભાઇ વાઢેર નાઓ ઉપરોકત કામગીરીમા સાથે હતા અને હાલ આ ગુન્હાની તપાસ પો.સબ.ઇન્સ, એમ.કે.મકવાણા નાઓ ચલાવી રહ્યા છે.
રીપોર્ટ રહીશ બાનવા કોડીનાર