કોડીનાર નગરપાલિકાએ દિવસે પણ અંજવાળા કરી દીધા…… વિકાસની સીમા વટાવી દીધી
કોડીનાર નગરપાલિકાએ દિવસે પણ અંજવાળા કરી દીધા…… વિકાસની સીમા વટાવી દીધી
*કોડીનાર નગરપાલિકાએ દિવસે દિવાળીના દિવા શહેરમાં જગમગાવી રોશની કરી.*
*કોડીનારમાં દિવસે દિવા અને રાત્રે કેમ અંધારું આ નગરપાલિકા ની કોઈ ખાનગી પોલિસી હશે.*
કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં રોશની કરવામાં આવી…..! પણ આ રોશની શા માટે અને એ પણ દિવસે એ ખબર પડતી નથી. આજે કોઈ વ્યક્તિ વિશેષની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કોડીનારમાં આકાશ પણ સાફ દેખાય છે અને અંધારું પણ નથી તો શહેરના મુખ્ય માર્ગમાં આ રીતે લાઇટ ચાલુ રાખવા પાછળ અધિકારીઓ અને પદાધિકારીઓ ની શું મનચા હશે એ તો કહો…..! પ્રજાના પૈસા અને વેરાનુ આ રીતે શું પાણી કરવાનું……..! આ પહેલી વાર નથી કે આ લાઇટ ચાલુ હોય રહેણાક વિસ્તારોમાં તેમજ શહેરી મુખ્ય માર્ગ પર ઘણી વખત આ રીતે લાઇટ ચાલુ જ હોય છે પણ આ કેટલા અંશે યોગ્ય…..!અને ખૂંટીયા હોય…… કૂતરાં હોય……..કે પછી કચરો નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે આવે છે વારંવાર. અને આમ, છતાં કોઈ જ સુધારો નહિ અને અંતે અખાના છપ્પા ની જેમ *જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજે ઢોલ… અંધે અંધ અંધારે મળ્યા…..જેમ તલમાં કોદારા મળ્યા… ના થાય ઘેંસ કે ના થાય ઘાણી… અખો કે એ વાત અમે જાણી…!! અને પત્રકારની નજરે નિહાળ્યું સત્ય જેની હકીકત ફોટો માં જોવા મળે છે. આ અંધારપટ જેવા વહીવટ થી કયારે નાગરિકોનો ઉદ્ધાર થાય તે તો જોવુ જ રહ્યુ. હજુયે ઘણી ગલીઓ,શેરીઓ અને વિસ્તારોમા જ્યા વેરાઓ તો વસૂલાય છે પણ અંજવાળા થતા નથી. અને સામાન્ય નાગરિકોની ફરિયાદ સાંભળે પણ કોણ…….?આમ, કોડીનાર નગરપાલિકા ની આંધળી વહીવટી નીતિ રીતિઓ કયારે પરિવર્તન પામે તે જોવુ જ રહ્યું……. જો અસર થાય તો નાગરિકોનું કલ્યાણ થાય બાકી અત્યારે દિવસે અંજવાળુ અને રાત્રે અંધારું તો છે જ.
રિપોર્ટ : પારૂલ સોલંકી,
કોડીનાર