થરાદ ધારાસભ્ય ને એસટી કર્મચારી ઓએ કરી રજુઆત
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા રાતદિવસ જોયાં શિવાય નોકરી ઉપર ફરજ બજાવતા એસટી કર્મચારી ઓ ને કેટલાક પ્રશ્નો નું નિવારણ લાવવા આજે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પાસે રજુઆત કરવા ગયા હતા.આજ રોજ થરાદ કાર્યાલય ખાતે એસ ટી વિભાગ ના કર્મચારીઓ એ મુલાકાત લઈને એમના વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી, તમામ પ્રશ્નોની યોગ્ય રજુઆત રાજ્ય સરકાર માં કરવાની ખાતરી આપી હતી અને એસ ટી કર્મચારીઓની લડતને સમ્પુર્ણ ટેકો જાહેર કરૂ છું તેવું થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)