સુરત જિલ્લામાં ‘ મેગા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ’ હેઠળ ૮૩૩૨૧ ઘરો નો સર્વે કરાયો
પાલિકાએ જણાવ્યું હતું કે, ચોમાસાની શરૂઆતની સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધી જાય છે. જેનેઅનુલક્ષીને સુરત જિલ્લામાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધે નહીં તે માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત તા.20મી સપ્ટેમ્બરના રોજ ‘મેગા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ’ની કામગીરી કરવામાં આવી હતી.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કુલ 4, 00, 103 વસ્તી અંતર્ગત 83, 321 ઘરોને આવરી લેવા 974 ટીમો કાર્યરત કરાઈ હતી. જેમાં 81 સુપરવાઈઝરોના માર્ગદર્શન હેઠળ ડોર ટુ ડોર મુલાકાત, તાવના કેસોની નોંધણી, ઘરોમાં મચ્છર ઉત્પત્તિસ્થાનો શોધીને તેના નિવારણ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ટીમો દ્વારા 2, 08, 229 પાત્રોની ચકાસણી કરીને મચ્છરોનું ઉત્પત્તિસ્થાન ધરાવતા 1, 302 પાત્રોને યોગ્ય સફાઈ દ્વારા સલામત બનાવવાની સાથે 1, 082 ઘરોમાં મળી આવેલા મચ્છરોના ઉત્પત્તિસ્થાનોને દૂર કરવામાં આવ્યા હતાં.
જિલ્લાના 1, 428 લોકોના લોહીના નમુના તેમજ RDT (મલેરિયા)ની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસઅધિકારીડી.એસ.ગઢવીના વડપણ અને માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી તેમજ ઈ.જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રશાંત સેલરના સહયોગથી ડોર ટુ ડોર મુલાકાત લઈને લોકોમાં જાગૃત્તિ કેળવવા અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સાથે તકેદારીના પગલાં અંગે પાયાની જાણકારી આપવામાં આવી હતી.
રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત