વિસાવદર માલધારી સમાજ દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું
વિસાવદર માલધારી સમાજ દ્વારા મામલતદાર નેઉપવાસ આંદોલન કરવાની ચીમકી સાથે આવેદન આપવામાં આવ્યું
વિસાવદર માલધારી સમાજ દ્વારા સરકારી જમીન પરએટલે કે (ગૌવ ચર )ની જમીન પર માથાભારે ઈસમો દ્વારા પેસકદમી કરીને કબ્જો કરેલ હોય ત્યારે વિસાવદર ના માલધારી સમાજ પોતાનામાલ ઢોર ને ચરાવવા માટે જાય ત્યારે સરકારી જમીન ના કબજેદારો દ્વારા માલધારી ઓને ધાક ધમકી ઓ આપીને સરકારી જમીન મા પોતાના માલઢોરને હાંકી કાઢીને માલ ઢોરને ભૂખ્યા પાછા લઈને આવવું પડતું હોય ત્યારે વિસાવદર માલધારી ઓ દ્વારા વિસાવદર મામલતદાર ને તારીખ 20/10/2020તેમજ 24/5/2021/અને 8/7/2021/અને 23/9/2021ના રોજ ફરીથી અરજી આપીનેજુદા જુદા સર્વ નમ્બર ની સરકારી જમીન પર પેસકદમી કરનાર આસામીઓ ઉપરસરકારી કાયદો લેન્ડગ્રેબીગ મુજબ કાર્યવાહી કરીને સરકારી જમીન છૂટી કરાવવા માટે આવેદન આપેલ હોય આ આવેદન મા જોવિસાવદર મામલતદાર કે સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવેતો તારીખ 4/10/2021ના રોજથી વિસાવદર મામલતદાર કચેરી ખાતે પોતાના માલઢોર સાથે આમરણત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ માલધારી સમાજ દ્વારા ઉચ્ચાર વામાં આવીછે અને આ બાબતની ગમ્ભીર નોંધ લઈને સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી ને બેઠેલા આસામી ઉપર કાર્યવાહી કરવા મા આવેતેવી માંગ સાથેનુ આવેદન આપેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર