બનાસકાંઠા જિલ્લાના તમામ હાઈવે ઉપર ની હોટલો પેટ્રોલ પમ્પો સહિત માં કેમેરા ફરજિયાત
બનાસકાંઠા જિલ્લાના તમામ પેટ્રોલ પંપ, ગેસ રીફીલીંગ સ્ટેોશન, હાઇવે પરની હોટલો વગેરે ઉપર સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે.
રાષ્ટ્રર વિરોધી તત્વો , લૂંટારાઓ, ધાડપાડુઓ ગુન્હો કરવા જતી વખતે તથા ગુન્હોી કર્યા બાદ પોતાના વાહનોને ગુન્હા્ક્ષેત્રના ૩૦ થી ૫૦ કિલોમીટર એરીયામાં પેટ્રોલ/ડીઝલ/ગેસ પૂરાવતા હોય છે. અગાઉ ગુજરાતમાં બનેલ ગુન્હારઓમાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછથી પ્રસ્થાોપિત થયેલ છે કે, હાઇવે રોબરી, મંદિરોના આભૂષણો તથા એન્ટી ક મૂર્તિઓની ચોરી, આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગ, ધાડ, લૂંટ તથા ખંડણીના ગુન્હાાઓ આચરતી ટોળકીઓ ગુન્હોિ કરવાની શરૂઆતમાં કે ગુન્હોહ કર્યા બાદ પેટ્રોલ, ડીઝલ પંપ કે ગેસ રીફીલીંગ સ્ટેાશન ઉપર ફરજીયાત પોતાના વાહનોમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસ પૂરાવવા માટે ઉભા રહે છે. એટલુ જ નહિ ગુનો કરવા આવે ત્યાફરે કે પરત જતી વેળાએ હાઇવેની હોટલો ઉપર ચા-પાણી કે જમતા હોય છે. તેમજ ટોલપ્લાાઝા ઉપરથી વાહનો પસાર થતા હોય છે. ઉપર જણાવેલ ગંભીર પ્રકારના બનાવોના કારણે નાગરિકને પોતાની સલામતિનો સતત ભય સતાવતો રહે છે. અને પોતાની અસલામતિની લાગણી અનુભવે છે. જેથી ગંભીર અને ડીટેકટ ગુનાઓના ઇન્વીરસ્ટેેગેશન દરમ્યા ન ગુનેગારોને શોધી કાઢવા માટે દરેક પેટ્રોલ/ડીઝલ પંપ/ગેસ રીફીલીંગ સ્ટેીશન હાઇવે પરની હોટલો અને ટોલપ્લાોઝા ઉપર સી.સી.ટી.વી. (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન સાથેના) કેમેરા વીથ રેકોડીંગની સીસ્ટલમ હોવી જરૂરી છે.
બનાસકાંઠા જિલ્લાીમાં આવેલ તમામ પેટ્રોલ/ડીઝલ પંપ/ગેસ રીફીલીંગ સ્ટેનશન હાઇવે પરની હોટલો અને ટોલપ્લા ઝા ઉપર પેટ્રોલ ડીઝલ કે ગેસ રીફીલીંગ માટે આવતા વાહનો તથા લોકોની અવરજવર અંગે માહિતગાર રહેવા માટે તથા કોઇ ગુન્હેકગાર દ્વારા માનવ જિંદગીની ખુવારી ન થાય અને લોકોની મિલ્કતતને નુકસાન ન થાય તે માટે આવા કૃત્યોવને અટકાવવા અને નાગરિકોની સલામતિ માટે તકેદારીનાં પગલાં લેવા સારૂ બનાસકાંઠા જિલ્લાેના તમામ પેટ્રોલ/ડીઝલ પંપ/ગેસ રીફીલીંગ સ્ટેેશન, હાઇવે પરની હોટલો, લોજીંગ બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔધોગિક એકમો, ટોલપ્લાીઝા, બેંકો તથા બેંકોના એ.ટી.એમ. જવેલર્સની દુકાનો, સિનેમા ઘરો, કોમર્શીયલ સેન્ટર્સ ઉપર કેટલાક નિયંત્રણો મૂકવા હિતાવહ અને જરૂરી જણાય છે. જેથી શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વએયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લારમાં નીચેની વિગતે અમલવારી કરવા ફરમાવે છે. (૧) બનાસકાંઠા જિલ્લાવમાં આવેલ ઉક્ત તમામ સ્થળોના પ્રવેશદ્વાર ઉપર સી. સી. ટી. વી. (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન સાથેના) કેમેરા વીથ રેકોડીંગની વ્યસવસ્થાશ કરવાની રહેશે. (૨) સી. સી. ટી. વી. કેમેરામાં જે તે સ્થળના સમગ્ર વિસ્તારનું સંપૂર્ણ કવરેજ થાય તે મુજબ કેમેરા લગાવવાના રહેશે. (૩) બનાસકાંઠા જિલ્લામાં આવેલ ઉક્ત તમામ સ્થળોએના સી.સી.ટી.વી. કેમેરામાં જે તે સ્થળના સમગ્ર વિસ્તારનું સંપૂર્ણ કવરેજ થાય તે મુજબ કેમેરા લગાવવાના રહેશે.
(૪) જે જગ્યા એથી પ્રવેશ કરવાનો હોય તે તમામ જગ્યા એ પ્રવેશ કરતા તમામ વ્યનકિતઓ તથા વાહનોની અવરજવર સ્પ ષ્ટગ રીતે જોઇ શકાય તે રીતે સી. સી. ટી. વી. કેમેરા લગાવવાના રહેશે. (૫) ઉક્ત તમામ સ્થળો ખાતે આવતા વાહનના ડ્રાઇવર તથા બાજુની સીટમાં બેઠેલ વ્ય કિતનો ચહેરો સ્પજષ્ટઉ રીતે સી. સી. ટી. વી. કેમેરાની ફુટેઝમાં જોઇ શકાય તે રીતે સી. સી. ટી. વી. કેમેરા લગાવવાના રહેશે.
(૬) ઉક્ત સ્થળોની આસપાસ આવેલ દુકાનો ઉપર પાર્ક કરેલ વાહનોના નંબર પણ સાધારણ રીતે સી. સી. ટી. વી. કેમેરાની ફૂટેજમાં સ્પ ષ્ટધ વાંચી શકાય તે રીતે કેમેરા લગાવવાના રહેશે. (૭) સી. સી. ટી. વી. માં ઓછામાં ઓછા ૬ (માસ) સુધી રેકોર્ડનો સંગ્રહ કરવાનો રહેશે. (૮) લગાડવામાં આવેલ તમામ સી. સી. ટી. વી. કેમેરા સતત ચાલુ રહે તે જોવાની જવાબદારી જે તે પેટ્રોલ/ડીઝલ પંપ/ગેસ રીફીલીંગ સ્ટેીશન, હોટલ, ટોલપ્લા ઝા, બેંકો, જવેલર્સની દુકાનો, સિનેમા ઘરો, કોમર્શીયલ સેન્ટર્સના માલિક/સંચાલકોની રહેશે.
(૯) પેટ્રોલ/ડીઝલ પંપ/ગેસ રીફીલીંગ સ્ટે શન, હોટલ, ટોલપ્લાચઝા, બેંકો, જવેલર્સની દુકાનો, સિનેમા ઘરો, કોમર્શીયલ સેન્ટર્સના બહારના ભાગે કેમેરા લગાવવાના રહેશે. (૧૦) પેટ્રોલ/ડીઝલ પંપ/ગેસ રીફીલીંગ સ્ટેેશન, હોટલ, ટોલપ્લાાઝા, બેંકો, એ.ટી.એમ, જવેલર્સની દુકાનો, સિનેમા ઘરો, કોમર્શીયલ સેન્ટર્સ, લોજીંગ બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔધોગિક એકમો, શોપીંગ સેન્ટરની જગ્યાંમાં સવિસ્તાારપૂર્વક જુદા જુદા સી. સી. ટી.વી. કેમેરા રાખવા જેથી પાર્કિગ એરીયામાં થતી તમામ હિલચાલનું કવરેજ થઇ શકે. આ પ્રતિબંધ તા.૦૫/૧૧/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ