વિજ્ઞાન પ્રવાહના “A” અને“AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દ્વારા ઉજ્જવળ તકો
વિજ્ઞાન પ્રવાહના “A” અને“AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દ્વારા ઉજ્જવળ તકો
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતેની કૃષિ ઈજનેરી અને ટેકનોલજી કોલેજમાંવિજ્ઞાન પ્રવાહના “A” અને“AB” ગ્રુપનાવિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસનાં ક્ષેત્રે ઉજવળ તકો રહેલી છે. હાઈટેક ખેતી, જળ અને જમીન સંરક્ષણ, ફ્રુડ પ્રોસેસીંગ (કૃષિ પેદાશો- ઉપ પેદાશોની મુલ્ય વૃદ્ધી) કાર્યક્ષમ ખેતીઓજારો, યંત્રો, ટેકટરનાં ઉપયોગ, જળ સ્ત્રાવવિસ્તાર, વિકાસ, ગ્રીનહાઉસ ટેકનોલોજી જેવા અગત્યના ક્ષેત્રોની વધી રહેલી અગત્યતાને લીધેકૃષિ ઈજનેરોની માંગ વધી રહી છે. બી.ટેક. (એગ્રી.એન્જી.) ડીગ્રી પ્રદાન કરતી રાજ્યની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજીકોલેજો ગુજરાતમાં જુનાગઢ, ગોધરા અને દેડીયાપાડા ખાતે આવેલી છે. જેમાં ત્રેણેય કોલેજ થઇ કુલ – ૧૮૭ સીટ ધરાવે છે. જે પૈકી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનીજુનાગઢ કૃષિ ઈજનેરી અને ટેકનોલજી મહાવિદ્યાલય ખાતે ૯૦ સીટ (૭૨ ગુજરાત બોર્ડ + ૫ અન્ય બોર્ડ + ૧૩ આઈ.સી.એ.આર.) ધરાવે છે. આ અભ્યાસક્રમનાં ફોમ ભરવાની છેલી તારીખ ૨૯/૦૯/૨૦૨૧ છે અને તે અમારી વેબસાઈટwww.gsauca.in/www.jau.inપર ઉપલબ્ધ રહેશે.
કૃષિ ઈજનેરી વિદ્યાશાખાનાંબી.ટેક. (એગ્રી.એન્જી.) ડીગ્રી અભ્યાસક્રમમાં મુખ્ય ઈજનેરી ક્ષેત્રો જેવા કે, મીકેનીકલ ઈજનેરી, સિવિલ ઈજનેરી, ઇલેક્ટ્રિકલઈજનેરી વગેરે ને લગતા વિષયોના થીયરી અને પ્રેક્ટીકલ અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ ઈજનેરીનાં વિશિસ્ટ ક્ષેત્રો જેવા કે સોઇલ અને વોટર સંરક્ષણ ઈજનેરી, ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી, પ્રોસેસીંગ અને ફ્રુડ ઈજનેરી, તથા રીન્યુએબલ એનર્જી ઈજનેરીને લગતા જુદા-જુદા વિષયોનું તેમજ ઈન્ટરનેટ સહીત કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે.
સમગ્ર અભ્યાસક્રમ દરમ્યાન કુલ-૧૮૨ ક્રેડીટ અવર્સનું શિક્ષણ આપવામાં આવે છે. વધુમાં આ અભ્યાસક્રમ દરમ્યાન ત્રીજા અને ચોથા વર્ષના ઉનાળાના વેકેશન દરમ્યાન ફાર્મમશીનરી અને ટ્રેક્ટર્સતથા જમીન અને જળ સંરક્ષણ, એગ્રો પ્રોસેસીંગ,રીન્યુએબલ એનર્જી વગેરે અંગે વિદ્યાર્થીઓને ગુજરાત તેમજ જુદા-જુદા રાજ્યોમાં આ અંગે ની સંસ્થાઓમાં મોકલીને પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપવામાં આવે છે. તદ ઉપરાંત છેલ્લા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને ચાર મહિના માટે કૃષિ ક્ષેત્રે અલગ-અલગ ઔંધોગીક/સંસ્થામાં પ્રેક્ટીકલ ટ્રેનીંગ માટે મોકલવામાં આવે છે. વધુમાં રાજ્ય તેમજ રાજ્ય બહાર સંલગ્ન ઔંધોગીક તથાશૈક્ષણિક કેન્દ્રની મુલાકાત માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આધુનિક શિક્ષણ બનાવવા માટે આ કોલેજમાં નવી લેબોરેટરી, ઓડિયો વિઝયુઅલ એડ્સ, ઈ-ક્લાસરૂમ, સીસીટીવી કેમેરા અને શિક્ષણ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવેલ છે.
બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમને એ.આઈ.સી.ટી.ઈ., નવી દિલ્હી; આઈ.સી.એ.આર. નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે. વધુમાં GHRDC-CSR દ્વારા વર્ષ ૨૦૨૧માં નીરમાં ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પછી કોલેજે ગુજરાતમાં ૨-જુ સ્થાન અને સમગ્ર ભારતની આઉટસ્ટેન્ડિંગ એન્જીનીયરીંગ ઓફ એક્સલન્સમાં ૫-મુ અને સમગ્ર ભારતની કોલેજની કેટેગરીમાં ૪૫-મુ સ્થાન મેળવેલ છે.
ઉપર જણાવેલ કોલેજ દ્વારા બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દરમ્યાનવિદ્યાર્થીઓમાં સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ થાય તેહેતુસર રમત-ગમત માટે કેમ્પસ માં સુંદર મેદાન તથા જીમખાના ઇન્દોર ગેમની સગવડ ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય તેમજ વ્યક્તિગત ચારિત્ર ઘડતર માટે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથધરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓની યાંત્રિક શક્તિઓના વિકાસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જુનાગઢના મોતીબાગની અંદર નૈસર્ગિક વાતાવરણમાંગર્લ્સ/બોયઝ વિદ્યાર્થીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા નજીવા દરે ફી સાથે ઉપલબ્ધ છે. બહેનોને હોસ્ટેલ ફી તેમજ શિક્ષણ ફી માંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ નિયમોનુસાર ફેલોશીપ પણ આપવામાં આવે છે.
કોલેજ ખાતે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રને લગતી કંપનીઓ જેવી કે, ટાફે ટ્રેક્ટર્સ પ્રા. લી., મહિન્દ્રા, કેપ્ટન, સોનાલીકા, જૈન, નેટાફીમ, ભૂમિ ઈરીગેસન, આઇડોલ, પોલીસીલ, HDFC BANK, VST, મેકકેઈન્સ, ન્યુ ટેક વિસ્તાર, તીર્થ એગ્રો વગેરેમાં લગભગ બધા ઈચ્છીત વિદ્યાર્થીઓએ નોકરી મેળવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સારા ઉધોગ સાહસિક બને તે માટે કૌશલ્ય વિકાસ થાય તેવું શિક્ષણ અપાય છે.