ધન કચરા ના નિકાલ માટે નગરપાલિકા એ કાર્યવાહી શરૂ કરી

ધન કચરા ના નિકાલ માટે નગરપાલિકા એ કાર્યવાહી શરૂ કરી
Spread the love

ધન કચરા ના નિકાલ માટે 2021 ની ટીમ નગરપાલિકા દ્વારા પ્રથમ વર્ષે પ્રથમ બોર્ડ માં પ્રક્રિયા હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.
આવનારા 8 થી 10 મહિના માં ઇન્દોર હાઇવે પર કચરા ના ઢગલા નહિ જોવાય કોઈ પણ પ્રકાર ની દુર્ગંધ નહિ આવે અને એ જ જગ્યા પર લોક ઉપીયોગી મનોરંજન માટે નું સંકુલ ઉભું કરાશે.
વર્ષો નો કચરા નિકાલ નો પ્રશ્ન ના નિરાકરણ માટે જુદા જુદા સમાજ ના આગેવાનો,જુદી જુદી સંસ્થાઓ ના અગ્રણીઓ, નગર ની ચિંતા અને ચિંતન કરતા વડીલો અને નગરજનો,ભારતીય જનતા પાર્ટી ના આગેવાન કાર્યકર્તાઓ, સૌ નગરજનો ના અભિપ્રાય અને માર્ગર્શન થી આ ભગીરથ કાર્ય કરવાનો અવસર મને અને મારી ટીમ દાહોદ નગરપાલિકા ને મળેલ છે.
આ ભગીરથ કાર્ય કરવાની અમારી શક્તિ આપ સૌ વડીલો ના કારણે વધી છે.
અમે આ કાર્ય સમય ની નિશ્ચિત મર્યાદા માં પૂર્ણ કરવા પ્રામાણિક પ્રયત્ન કરીશું.
લોકહિતમ કરણીયમ

રીપોર્ટ:નિલેશ આર નિનામા (દાહોદ બ્યુરો )

FB_IMG_1634648860508-1.jpg FB_IMG_1634648866766-0.jpg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!