વેરાવળ ખાતે ગુરુનાનક દેવજીની 552 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વેરાવળ ખાતે ગુરુનાનક દેવજીની 552 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Spread the love

વેરાવળ ખાતે ગુરુનાનક દેવજીની 552 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગુરુનાનક ચોક બાદ જનસંઘના પાયાના કાર્યકર સ્વ. કરમચંદ ડોડેજા ચોક નું અનાવરણ કરવામાં આવ્યું

વેરાવળ ખાતે ગુરુનાનક દેવજીની 552 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વહેલી સવારે પ્રભાતફેરી અને કીર્તનનું આયોજન કરાયું હતું.ત્યાર બાદ બપોરે સમૂહ લંગર પ્રસાદનું આયોજન અને સાંજે શોભાયત્રા અને ફટાકડા ની આતશબાજી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શોભાયાત્રાના અંતે બિહારીનગર પાસે જનસંઘ અને ભાજપ ના પાયાના કાર્યકર સ્વ. કરમચંદ ડોડેજા ના નામથી ચોક નું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ તકે સિંધી સમાજના આગેવાનો, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા,જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર,શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, પૂર્વ ધારાસભ્ય રાજસિભાઈ જોટવા, પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સહિતના જોડાયા હતા.અંતે મધ્યરાત્રે કેક કાપી ગુરુનાનક જન્મજયંતી ની ઉજવણી કરાઇ હતી.

 

રિપોર્ટ : પરાગ સંગતાણી, 
વેરાવળ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!