થરાદ તાલુકાના મોરથલ ગામે આંગણવાડી નું લોકાર્પણ સાંસદ નાં હસ્તે
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર માં આંગણવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મોરથલ ગામે બનાસકાંઠા સાંસદ નાં હસ્તે આત્મનિર્ભર ગ્રામયાત્રા નિમિતે તા. 18/11/2021 ના રોજ મનરેગા યોજના અંતર્ગત મોજે મોરથલ મુકામે નવીન આંગણવાડી ના મકાન નું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ના સાંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું. જે કાયૅ ક્રમ માં થરાદ ટીડીઓ જીગર પટેલ, મામલતદાર શ્રી દિલીપભાઈ દરજી, તાલુકા પંચાયત પ્રમુખ દાનાભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ