હઉતડ ગામે રામદેવજી મહારાજ તથા શ્રી રાધા કૃષ્ણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ યોજાયો

હઉતડ ગામે રામદેવજી મહારાજ તથા શ્રી રાધા કૃષ્ણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ યોજાયો
Spread the love

લાઠી તાલુકાના દામનગર પાસે હઉતડ ગામે રામદેવજી મહારાજ તથા શ્રી રાધા કૃષ્ણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે વિશ્વવંદનીય સંત મોરારીબાપુની પ્રેરણાથી કાર્યક્રમ યોજાયો પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર સંત સભામાં ભાગ લઇ મોરારી બાપુ તથા સંતોના આશીર્વાદ મેળવ્યા ગામ લોકોમાં આનંદની લાગણી ગામલોકોના આમંત્રણથી ધારાસભ્યશ્રી હાજર રહ્યા હતા ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુમ્મર એ રસ્તાઓના લાઠી બાબરા રસ્તાઓના કામો થઈ રહેલ છે તેની પોતાના પ્રવચનમાં નોંધ લીધી કામો કરાવનાર ની નોંધ લીધી ખેડૂતોના અતિવૃષ્ટિમાં પાકને નુકસાન થયું છે છતાં પણ કપાસ ઉત્પાદન સારું દેખાય રહ્યું છે તેની પણ નોંધ લીધી ધારાસભ્યશ્રી એ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમ ધરાસભ્ય શ્રી દ્વારા બાપુ ને જણાવતા બાપુએ કહ્યું કે વાવ્યું છે એટલે નુકસાન થાય ખેડૂતોનું મોટું મન છે અને ખેડૂતોને વાવણી વાવે તો નુકસાન થાય પરંતુ ભગવાન ખેડૂતોને બરકત આપે તેવા આશીર્વાદ પાઠવ્યા દામનગર કોંગ્રેસના અગ્રણી પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ મળ્યા તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હાઉતડ ગામે આનંદની લાગણી

 

રિપોર્ટ રસિક વેગડા

કુંકાવાવ

 

IMG-20211124-WA0025-1.jpg IMG-20211124-WA0023-2.jpg IMG-20211124-WA0026-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!