માણાવદરની કોલેજમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
માણાવદરની કોલેજમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : માણાવદરની આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં તા.૨૪/૧૧/૨૦૨૧ના રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ૧૫ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વધુને વધુ યુવાનોને જોડાવા માટે મામલતદાર યુ.એ.વાળા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે કોલેજના પ્રિન્સીપાલ ડો.એમ.કે.મેતરા, એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.આર.એસ.જીંજાલા, ડો.ડી.કે.મહેતા સહિત ઉપસ્થિત રહ્યા હતા.