વાર્તા લેખન વેબિનારનું આયોજન થયું
ભાવનગર જિલ્લાના સાહિત્યસર્જક શ્રી તખુભાઈ સાંડસુર દ્વારા નવોદિત સાહિત્ય સર્જકોને માર્ગદર્શન મળે તે હેતુથી વાર્તા લેખન સંવાદ કાર્યક્રમનું વેબીનાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 16-1- 22 ને રવિવાર ના રોજ 2:00 યોજાયેલા આ વેબીનારમાં ગુજરાત, ઉપરાંત મુંબઇ થી પણ સજૅક, નવોદિત વાર્તા લેખકો જોડાયાં હતાં.
આયોજક શ્રી તખુભાઈ સાંડસુરએ વેબીનારની ભૂમિકા અને મહત્વ પ્રસ્થાપિત કરીને સૌને આવકાર્યા હતાં.
અમદાવાદથી ગુજરાતી લેખક મંડળના મંત્રી અને વાર્તા વર્તુળના મુખ્ય સંયોજક, સાહિત્યકાર શ્રી મનહર ઓઝા જોડાયાં હતાં. તેમણે વાર્તાઓના આદિ, મધ્ય અને અંત, પરિવેશ અને ઘટના, વાર્તાશૈલી અને બોલી ઉપરની મહદંશે છણાવટ કરી હતી. નવોદિત સર્જકોને વાર્તા વિશ્વમાં દાખલ થતાં પહેલાં વાંચન અને અધ્યયન પર વિશેષ ભાર આપવાં તેમણે અનુરોધ કર્યો હતો. આ વેબીનારમાં લેખિકા સુશ્રી ગિરિમા ધારેખાન અને નવોદિત સજૅકો મહેશ પરમાર,હેમલતાબેન રાણા, મીનાક્ષીબેન, સુરેશભાઈ ઠક્કર, જાગૃતિબેન પંડ્યા સહિતના લોકો જોડાયા હતાં.