આદિપુર ખાતે શહીદ હેમુ કાલાનીનો સહાદત દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અપાઈ
આદિપુર ખાતે શહીદ હેમુ કાલાનીનો સહાદત દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અપાઈ.
ગાંધીધામ : સિંઘ ના સિંહ શહીદ હેમુ કાલાણી ના સહાદત દિવસ નિમિત્તે આદિપુર ખાતે તેમની પ્રતિમાને વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મૈત્રી સ્કૂલ માર્ગ પર આવેલ શહીદ હેમુ કાલાણી ની પ્રતિમા પર વહેલી સવારે હેલ્પ પેજ મિશન , દુઃખ ભંજન દરબાર, રાષ્ટ્રીય સિંધિ સમાજ તેમજ માનવતા ગ્રૂપ કચ્છ દ્વારા પ્રતિમાને ફુલ હાર કરવામાં આવ્યું હતું સાથે સાથે શહીદ હેમુ કાલાણી જેઓ 19 વર્ષની નાની ઉંમરે દેશ માટે બલિદાન આપ્યો હતો એવા વીર માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે સિંધી સમાજના આગેવાનોએ જે જે શહેરમાં સિંધી સમાજની વસ્તી છે ત્યાં શહીદ હેમું કાલાનીની પ્રતિમા સ્થાપિત કરવા સરકારમા રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું .
આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમા સિંધી સમાજના મોવડી પ્રેમભાઈ લાલવાણી, રાજુભાઈ પિંજવાની, મુકેશ લખવાની, કમલેશભાઈ મયદાસાણી ,મહેશ આહુજા, પ્રકાશ રામચદાની , ગોવિંદ દનીચા, મોહન ઉદાસી , લચ્છુ ચતવાણી, વાસુ ભંભાની, ધવલ ભાગચંદાની ,હરેશ કુમાર તુલસિદાસ, લક્ષ્મણ ભાટીયા, જયશ્રી ખાલસા ,ગોપિકા રોચિરામાની, શિયા કોરાણી, કવિતા રામચંદાની , મમતા મહેશ આહુજા, આશા લાલવાણી, માયા મુલાણી , સીતા થદાણી તેમજ અન્ય આગેવાનો એ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756