અંબાજી મંદિર ખાતે 123 મંદબુદ્ધિની મહિલાઓએ માતાજીના દર્શન કર્યા
અંબાજી મંદિર ખાતે 123 મંદબુદ્ધિની મહિલાઓએ માતાજીના દર્શન કર્યા
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે મંદ બુદ્ધિની મહિલાઓએ માતાજીના દર્શન કર્યા હતા.જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ બાયડ દ્વારા આજે અંબાજી મંદિર ખાતે આવ્યા હતા.જેમા 123 મંદ બુદ્ધિની મહિલાઓએ માતાજીના દર્શન કર્યા હતા.
અંબાજી મંદિરના વીઆઈપી પ્લાઝા ખાતે મંદબુદ્ધિની મહિલા સમાજની બહેનો આવી પહોંચી હતી , સાથે સંસ્થાના આગેવાનો અને કર્મચારીઓ પણ અંબાજી ખાતે આવ્યા હતા.મંદબુદ્ધિની મહિલાઓનું બાકીનું જીવન સારું જાય તે માટે તેમને દર્શન કરાવવામાં આવ્યા હતા.આ સંસ્થા દ્વારા 205 બહેનોને સાજી કરીને તેમના ઘરે મોકલેલ છે.આ સંસ્થા દ્વારા મંદબુદ્ધિની બહેનોની સાર સંભાળ રાખવામાં આવે છે.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756