થરાદ:ધારાસભ્ય ને પારણાં કરાવતા ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ
થરાદ ના ધારાસભ્ય ના ઉપવાસ આંદોલન માં આજે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા પારણા કરાવ્યા હતાં.વિધાનસભા ચૂંટણી પહેલા એક તરફ વિવિધ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પણ પોતાના વિસ્તારની વિવિધ માંગોને લઈને છેલ્લા આઠ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. જો કે આજે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પારણાં કરી લીધા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઉપવાસ ઉપર બેઠેલા ગુલાબસિંહ રાજપૂત અને ભોરડુ સરપંચ દિલાવરસિંહ વાઘેલા ને પારણાં કરવા વિનંતી કરી હતી.
જગદીશ ઠાકોરની વિનંતીને લઈને ગુલાબસિંહ રાજપુતે આઠમાં દિવસે પારણા કર્યા હતા. જગદીશ ઠાકોરે પાણી પાઈને ગુલાબસિંહ રાજપૂત અને દિલાવરસિંહને પારણાં કરાવ્યા હતા. નોંધનિય છે કે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઉપવાસ દરમિયાન ધારાસભ્ય ગુલાબસિંહની તબિયત પણ
બે વખત લથડી હતી. થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ પોતાના વિસ્તારમાં પાણીથી લઈને અનેક સમસ્યાઓને લઈને ઉપવાસ પર ઉતર્યા હતા.આજે ઉપવાસ આંદોલન નો અંત આવ્યો હતો જેમાં જેતે કચેરી એ પોતાના મોટા ભાગનાં મુદ્દા ઉકેલ લાવવા ની લેખિત બાંહેધરી આપી છે.આજે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો તેમજ ધાનેરા,વાવ, રાધનપુર તેમજ અન્ય ધારાસભ્ય સાથે થરાદ નાં આગેવાનો , લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756