ભરૂચની કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપના દિવસે તિરંગા સાથે યુનોનો ધ્વજ લહેરાવાયો

ભરૂચની કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપના દિવસે તિરંગા સાથે યુનોનો ધ્વજ લહેરાવાયો
Spread the love

ભરૂચની કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત રાષ્ટ્રના આજે 24 ઓક્ટોબરે સ્થાપના દિવસે તિરંગા સાથે યુનોનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે અને વાટાઘાટ માટે એક મંચ પૂરુ પાડવા માટે લીગ ઓફ નેશન્સના સ્થાને 1945માં બીજા વિશ્વ યુદ્ધ બાદ થઇ હતી. તેમાં તેના હેતુઓને પાર પાડવા માટે અસંખ્ય પેટા સંસ્થાઓનો સમાવેશ થાય છે. આજે 24 ઓક્ટોબરે યુનોના સ્થપાના દિવસ નિમિત્તે તેના માનમાં ભારતીય તિરંગા સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો.

ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

Admin

Admin

9909969099
Right Click Disabled!