ડભોઇ તાલુકા ના યાત્રાધામ ચાંદોદ થી 45 માઇ ભક્તો પગપાળા અંબાજી જવા નીકળ્યા

ડભોઇ તાલુકા ના યાત્રાધામ ચાંદોદ થી 45 માઇ ભક્તો પગપાળા અંબાજી જવા નીકળ્યા
Spread the love

ડભોઇ તાલુકા ના યાત્રાધામ ચાણોદ થી 45 જેટલા પદયાત્રીઓ અંબાજી ખાતે પગપાળા જવા નીકળ્યા હતા. સતત 16 વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે 17 માં મંગલ પ્રવેશ માં યાત્રાધામ ચાંદોદના વેરાઈ માતા મંદિર પાસે માં અંબાની આરતી કરી નગરમાં વાગતે ગાજતે માતાજીના ભક્તિમય વાતાવરણથી પગપાળા માઇ ભક્તો અંબાજી જવા રવાના થયા હતા ચાણોદ થી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે પગપાળા પહોંચી 52 ગજ ની ધજા ચઢાવી માં જગદંબા ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.યાત્રાધામ ચાણોદ થી પગપાળા નીકળી ડાકોર પહોંચે છે જ્યાંથી તેઓ ખેડબ્રહ્મા અને પછી ગબ્બર પહોંચી માં જગદંબા ને 52 ગજ ની ધજા અર્પણ કરે છે.ત્યાંથી આ પદયાત્રીઓ 80 કિલોમીટર દૂર આવેલ માતાજી ના મુખ્ય ધામ આરાશૂર પહોંચી ત્યાં માતાજી ને ધજા અર્પણ કરે છે.દર વર્ષે ચાણોદ થી નીકળતા પદયાત્રીઓ એ જણાવ્યું હતું કે પગપાળા યાત્રા કરી માતાજી ને ધજા ચઢાવી ખૂબ જ આનંદ ની લાગણી થાય છે તેમજ દરેક પદયાત્રીઓ ને માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માતાજી ની અસીમ કૃપા બની રહે છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221225-WA0034.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!