તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટ જામનગરના ખેલાડીની પસંદગી
તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટ જામનગરના ખેલાડીની પસંદગી
લોકાર્પણ જામનગર, પેરાલિમ્પિક વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.૦૨ ફેબ્રુઆરીથી ૦૫ ફેબ્રુઆરી સુધી પેરિયાર માનામઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ & ટેક્નોલોજી ગ્રાઉન્ડ, તંજાવુર, તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાશે. આ પ્રતિયોગિતામાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના ૯૦% અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી શ્રી શિવદાસભાઈ આલસુર ગુજરીયાની ગુજરાતની ટીમમાં પસંદગી થવા પામી છે. તેમના અથાક પ્રયત્નો અને મહેનતના પગલે ગુજરાત રાજ્યમાંથી તેમની પસંદગી થવા પર જામનગરનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિના પ્રમુખ શ્રી પ્રફુલાબેન મંગે તેમજ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના સમગ્ર સ્ટાફ વતી ખેલાડી શ્રી શિવદાસભાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમ દિવ્યાંગ પ્રમુખ શ્રી સતારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે..
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300