અંબાજી મંદિર ખાતે જવેરા વિધી અને અન્નકુટ આરતી આઠમે કરવામાં આવી

અંબાજી મંદિર ખાતે જવેરા વિધી અને અન્નકુટ આરતી આઠમે કરવામાં આવી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે આજે બપોરે 12 વાગે રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અન્નકુટ આરતી કરવામાં આવી હતી અને માતાજીને 56 ભોગ ની અલગ અલગ મીઠાઈ ધરાવવામાં આવી હતી.
અંબાજી મંદિરમાં બપોરે વિજય મુરત માં ઝવેરા વિધિ યોજાઈ હતી અને ઝવેરા નું ઉત્થાપન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આ જવેરા વિધિ યોજાઇ હતી. અંબાજી મંદિરની હવન શાળામાં આઠમ નિમિત્તે મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો હતો.
આજે યાત્રિકો ની ભારે ભીડ જોવા મળી હતી ને મહા શકિત યજ્ઞ ની પૂર્ણાહુતી બાદ મહાશક્તિ યજ્ઞમાં યાત્રિકો દ્વારા શ્રીફળ હોમવામાં આવ્યો હતા
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300