જિલ્લા સમાહર્તા ની અધ્યક્ષતામાં તખતગઢ ખાતે રાત્રીસભા યોજાઇ
જિલ્લા સમાહર્તા ની અધ્યક્ષતામાં તખતગઢ ખાતે રાત્રીસભા યોજાઇ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તખતગઢ ખાતે જિલ્લા સમાહર્તા નૈમેષ દવેની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ હતી.
આ મુલાકાત પહેલા જિલ્લા સમાહર્તા શ્રીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજી હતી. ખેડૂતો દ્વારા અત્યાઆધુનિક સિંચાઈ માટે ગામમાં બનાવેલ સંપની મુલાકાત લીધી હતી. મિયાવાકી વનીકરણ, ગ્રામ પંચાયત દ્વારા ઉભી કરવામાં આવેલ પીવાના પાણીની સુવિધા તેમજ પાણીના મીટરની જાણકારી મેળવી હતી. ગામમાં નવનિર્મિત અમૃત સરોવરની મુલાકાત લઈ વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકત વખતે રાત્રીસભામાં ગ્રામ પંચાયત દ્વારા અને અન્ય વિકાસના કામો કરવામાં આવ્યા હતા તેમનું નિરીક્ષણ કર્યું હતું. આગામી સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તખતગઢ ગામ પ્રાકૃતિક ખેતીનું બ્રાન્ડ બને તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . તખતગઢ ગામમાં ચાલતા સખી મંડળની બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમને કરેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી..
આ મુલાકત વખતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કલ્પેશ પાટીદાર, પ્રાંતિજ તાલુકાના પ્રાંત અધિકારી ડોડીયા,મામલતદારઅન્ય પદાધિકારીઓ ગામના સરપંચ નિશાંતભાઇ તેમજ તખતગઢ ગામના વડીલો, બહેનો, યુવાન મિત્રો તથા સંસ્થાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300