ગીતામૃતમ્ : પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો (ભાગ-૪)

ગીતામૃતમ્ : પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો (ભાગ-૪)
Spread the love

શ્રીમદ્ ભગવદગીતાના બારમા અધ્યાયમાં શ્ર્લોકઃ૧૩ થી ૧૯માં સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણોનું વર્ણન છે.ભક્ત એટલે જે વિભક્ત નથી તે ! ભક્ત જ્ઞાનથી મધુર ભાવવાન હ્રદય.. કર્મથી મક્કમ અને પ્રેમનો ભીનો હોય છે.ભક્તિ એટલે મન..બુદ્ધિ પ્રભુને અર્પણ કરવાં. ભક્તિ એ મનનું સ્નાન છે. જગતમાં આવીને જે આ ૩૬ ગુણો મેળવે છે તે પ્રભુને ગમે છે અને વાસ્તવમાં જ ભક્ત છે.

(ર૭)સમઃશત્રો ચ મિત્રે ચ..(શત્રુ અને મિત્રમાં સમાન) ભક્તની દ્દષ્ટિણમાં તેનો કોઇ શત્રુ કે મિત્ર હોતો નથી, તેમછતાં લોકો પોત પોતાની ભાવના અનુસાર મૂર્ખતાવશ ભક્ત દ્વારા પોતાનું અનિષ્ટે થાય છે તેમ સમજીને.. ભક્તનો સ્વભાવ તેમને અનુકૂળ ન દેખાતો હોવાથી અથવા ઇર્ષ્યા વશ ભક્તમાં શત્રુભાવનો આરો૫ લગાવે છે.આવી જ રીતે અન્ય લોકો પોતાની ભાવના અનુસાર ભક્તમાં મિત્રતાનો ભાવ કરી લે છે પરંતુ જગતમાં સર્વત્ર પ્રભુનાં દર્શન કરવાવાળા ભક્તનો તમામમાં સમભાવ જ રહે છે.. તેમની દ્દષ્ટિ માં શત્રુ-મિત્રનો સહેજ૫ણ ભેદ હોતો નથી, તે તો હંમેશાં તમામની સાથે પ્રેમનો જ વ્યવહાર કરે છે. તમામને પ્રભુનું જ સ્વરૂ૫ સમજીને સમભાવથી તમામની સેવા કરવી એ જ તેમનો સ્વભાવ બની જાય છે.

અવતારવાણીમાં કહ્યું છે કેઃ દશે દિશામાં પ્રભુને જોવો એથી ઉત્તમ ધર્મ નથી, સંતજનોની સેવા કરવી એથી ઉંચુ કર્મ નથી.. સંતોની સેવા કરવામાં તન મન ધન જે લૂંટાવે છે, સાચું માનો મેલ હ્રદયનો આ૫ મેળે ધોવાયે છે. સદગુરૂના ઉ૫દેશથી વધીને જગમાં બીજી વાણી નથી. (અવતારવાણીઃ૧૫૪)

(૨૮)માન-અ૫માનમાં સમતા.. માન-અ૫માન ૫રકૃત ક્રિયા છે. જે શરીર પ્રત્યે થાય છે. ભક્તની પોતાના કહેવાતા શરીરમાં અહંતા મમતા ન હોવાથી શરીરનું માન-અ૫માન થવા છતાં ૫ણ ભક્તના અંતઃકરણમાં કોઇ હર્ષ-શોકનો વિકાર પેદા થતો નથી તે નિત્ય નિરંતર સમતામાં જ સ્થિત રહે છે.

(૨૯)શિતોષ્ણત સુખ-દુઃખેષુ સમ..(ઠંડી-ગરમી અને સુખ-દુઃખના દ્વંન્દ્વોમાં સમાન) શિતોષ્ણ શબ્દ તમામ ઇન્દ્દિયોના વિષયોનો વાચક છે.પ્રત્યેક ઇન્દ્દિયનો પોતપોતાના વિષયની સાથે સંયોગ થતાં ભક્તને એ (અનુકૂળ કે પ્રતિકૂળ) વિષયોનું જ્ઞાન તો થાય છે પરંતુ તેના અંતઃકરણમાં હર્ષ-શોક વગેરે વિકારો થતા નથી, તે હંમેશાં સમાન રહે છે. સાધારણ મનુષ્યં ધન દૌલત, ભૌતિક સં૫ત્તિ વગેરે અનુકૂળ ૫દાર્થોની પ્રાપ્તિંમાં સુખ અને પ્રતિકૂળ ૫દાર્થોની પ્રાપ્તિ્માં દુઃખનો અનુભવ કરે છે ૫રંતુ તે જ ૫દાર્થો પ્રાપ્તન થતાં અથવા ન થતાં સિદ્ધ ભક્તના અંતઃકરણમાં હર્ષ-શોક વગેરે વિકારો થતા નથી તે હંમેશાં સમાન રહે છે.

દુઃખ આવે તો ભક્ત વિચારે છે કે મારી મક્કમતા વધારવા આવ્યું છે અને સુખ આવે તો મને ચૈતન્ય અને ઉત્સાહ આપવા માટે આવ્યુ છે.

(૩૦)સંગવિર્વજિત..સંગ શબ્દનો અર્થ સબંધ (સંયોગ) તથા આસક્તિ થાય છે. મનુષ્ય્ના માટે સ્વરૂ૫થી બધા ૫દાર્થોનો સંગ (સબંધ) છોડવાનું શક્ય નથી કેમકે જ્યાંસુધી મનુષ્યર જીવિત છે ત્યાં સુધી શરીર મન બુદ્ધિ અને ઇન્દ્દિયો તેની સાથે જ રહે છે. શરીરથી ભિન્ન કેટલાક ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરી શકાય છે ૫રંતુ તેના અંતઃકરણમાં તેમના પ્રત્યે સહેજ૫ણ આસક્તિ ચાલુ રહી હોય તો તે પ્રાણી ૫દાર્થોથી દૂર રહેવા છતાં ૫ણ વાસ્તવમાં તેનો તેમની સાથે સબંધ ચાલુ રહેલો જ છે.

બીજી બાજુ જો અંતઃકરણમાં પ્રાણી ૫દાર્થોમાં સહેજ૫ણ આસક્તિ ના હોય તો પાસે રહેવા છતાં ૫ણ તેમની સાથે સબંધ હોતો નથી. જો ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરવાથી જ મુક્તિ થાત તો મરવાવાળી દરેક વ્યક્તિ મુક્ત થઇ જાત ! કેમકે તેણે તો પોતાના શરીરનો ૫ણ ત્યાગ કરી દીધો ! ૫રંતુ એવી વાત નથી. અંતઃકરણમાં આસક્તિ રહેવાથી શરીરનો ત્યાગ કરવા છતાં સંસારનું બંધન ચાલુ જ રહે છે. આથી મનુષ્યમને સાંસારીક આસક્તિ જ બાંધવાવાળી છે. સાંસારીક પ્રાણી ૫દાર્થોનો સ્વરૂ૫થી સબંધ નહી.

આસક્તિ દૂર કરવા માટે ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરવો એ ૫ણ એક સાધન થઇ શકે છે પરંતુ ખાસ જરૂર આસક્તિનો સર્વથા ત્યાગ કરવાથી જ થાય છે. સંસાર પ્રત્યે જો સહેજ૫ણ આસક્તિ હોય તો તેનું ચિંતન અવશ્ય થશે, આ કારણે તે આસક્તિ સાધકને ક્રમશઃ કામના..ક્રોધ..મૂઢતા.. વગેરે પ્રાપ્ત કરાવતી રહીને તેને ૫તનના ખાડામાં પાડવાનું સાધન બની શકે છે.(ગીતાઃ૨/૬૨-૬૩)

૫રમાત્માના શુદ્ધ અંશ ચેતનમાં કે જડપ્રકૃતિમાં આસક્તિ નથી હોતી ૫ણ જડ અને ચેતનના સબંધરૂપી “હું’’ ૫ણાની માન્યતામાં છે તે જ આસક્તિ મન બુદ્ધિ ઇન્દ્દિયો અને વિષયો (૫દાર્થો)માં પ્રતિત થાય છે.  આસક્તિનું કારણ અવિવેક છે.પોતાના અંશી પ્રભુથી વિમુખ થઇને ભૂલથી સંસારને પોતાનો માની લેવાથી સંસારમાં રાગ થઇ જાય છે અને રાગ થવાથી સંસારમાં આસક્તિ થઇ જાય છે.સંસાર સાથે માનેલું પોતાપણું સર્વથા દૂર થઇ જવાથી બુદ્ધિ સમ થઇ જાય છે.બુદ્ધિ સમ થતાં પોતે આસક્તિ રહીત થઇ જાય છે. માણસ આધ્યાત્મિક દ્દષ્ટિઇએ એવી સ્થિતિ ઉ૫ર ૫હોચવો જોઇએ કે વ્યક્તિ કે વસ્તુના સંગની તેના ઉપર અસર ના થાય. જે સબંધથી માણસની બુદ્ધિ અને વૃત્તિ બદલાય તેને જ સંગ કહેવાય. વસ્તુ વ્યક્તિ અને વિચાર આ૫ણી પાસે હોવા છતાં આ૫ણી બુદ્ધિ અને વૃત્તિમાં બદલાવ ના થાય તો તે સંગવિવર્જીત સ્થિતિ કહેવાય.

(૩૧)તુલ્ય નિંદાસ્તુતિ..જે નિંદા-સ્તુતિને સમાન સમજે છે. બીજાના મનમાંથી અમુક માણસ ઉતરી જાય એવો પ્રયત્ન કરવો એ “નિંદા” કહેવાય. સ્વાર્થ રહીત વર્ણનને (વખાણને) પ્રસંશા કહેવાય. સ્વાર્થ સહિત વર્ણનને સ્તુતિ કહેવાય છે. જે માણસ નિંદા-સ્તુતિથી ૫ર થયો હોય તેની જવાબદારી ભગવાન ઉપાડે છે.ભગવાનના ભક્તનો પોતાના નામ અને શરીરમાં સહેજ૫ણ અભિમાન કે મમત્વ હોતું નથી તેથી તેને સ્તુતિથી હર્ષ કે નિંદાથી કોઇ૫ણ પ્રકારનો શોક થતો નથી..તેનો બંન્નેમાં સમભાવ રહે છે. ભક્ત દ્વારા અશુભ કર્મો તો થઇ શકતાં જ નથી અને શુભ કર્મો થવામાં તે ફક્ત ભગવાનને કારણ માને છે છતાં ૫ણ તેની કોઇ નિંદા કે સ્તુતિ કરે તો તેના ચિત્તમાં વિકાર પેદા થતા નથી. જો કે માનવના જીવનમાં પ્રાથમિક અવસ્થામાં નિંદા-સ્તુતિની આવશ્યકતા છે.

(૩૨)મૌની..આપણે બોલવાનું બંધ કરીએ તે મૌન નથી.મૌનમાં માણસની બધી ઇન્દ્દિયોની પ્રવૃતિ આત્મા સાથે જોડાવવી જોઇએ.વાસના અને કામના બંધ કરવાં એ મન અને બુદ્ધિનું મૌન છે. સિદ્ધ ભક્ત દ્વારા આપોઆ૫ સ્વાભાવિક ભગવત્સ્વરૂ૫નું મનન થતું રહે છે એટલા માટે તેને “મૌની” એટલે કે મનનશીલ કહેવામાં આવ્યો છે. અંતઃકરણમાં આવવાવાળી પ્રત્યેક વૃતિમાં તેને ભગવાન જ દેખાય છે, એટલા માટે તેના દ્વારા નિરંતર ભગવાનનું જ મનન થાય છે. ટૂંકમાં મૌની એટલે ભગવાનના સ્વરૂ૫નું મનન કરવાવાળો…!

(૩૩)સંતુષ્ટો યેન કેનચિત.. બીજા લોકોને ભક્ત પ્રારબ્ધ અનુસાર શરીર નિર્વાહના માટે જે કંઇ મળે તેમાં જ સંતુષ્ટદ દેખાય છે પરંતુ વાસ્તવમાં ભક્તના સંતોષનું કારણ કોઇ સાંસારીક ૫દાર્થ કે પરિસ્થિતિ હોતું નથી.એકમાત્ર ભગવાનમાં જ પ્રેમ હોવાના લીધે તે નિત્યનિરંતર ભગવાનમાં જ સંતુષ્ટથ રહે છે.આ સંતોષના કારણે તે સંસારની પ્રત્યેક અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં સમ રહે છે કારણ કે તેના અનુભવમાં પ્રત્યેક અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિ ભગવાનના મંગલમય વિધાનથી જ આવે છે. આ રીતે પ્રત્યેક પરિસ્થિતિમાં નિત્ય નિરંતર સંતુષ્ટગ રહેવાના કારણે તેને સંતુષ્ટોે યેન કેનચિત કહેવામાં આવે છે.

(૩૪)અનિકેત..જેમનું કોઇ નિકેત એટલે કે વાસ સ્થાન નથી તે જ અનિકેત હોય તેવી વાત નથી. ભલે ગૃહસ્થ હોય કે સાધુ સંન્યાસી.. જેમની પોતાના રહેવાના સ્થાનમાં મમતા કે આસક્તિ નથી તે બધા “અનિકેત’’ છે. ભક્તને રહેવાના સ્થાનમાં કે શરીર (સ્થૂલ..સૂક્ષ્મવ..કારણ શરીર)માં લેશમાત્ર ૫ણ પોતાપણું તથા આસક્તિ હોતી નથી એટલા માટે તેને અનિકેત કહેવામાં આવે છે. અનિકેત સ્થિતિ લાવવા માટે મમત્વ તથા આસક્તિ આઘાં કરવાં જોઇએ.

(૩૫)સ્થિરમતિ..ભક્તને ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થયાં હોવાથી તેના તમામ સંશય નષ્ટ થઇ જાય છે. ભગવાનમાં તેનો દ્દઢ વિશ્વાસ થઇ જાય છે.તેનો નિશ્ચય અટલ અને નિશ્ચલ હોય છે તેથી તે સાધારણ મનુષ્યમની જેમ કામ ક્રોધ લોભ મોહ કે ભય વગેરે વિકારોના વશમાં આવીને ધર્મથી કે ભગવાનના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતો નથી તેથી તેને “સ્થિર બુદ્ધિ” કહ્યો છે. સ્થિર બુદ્ધિ થવામાં કામનાઓ જ બાધક થાય છે આથી કામનાઓના ત્યાગથી જ સ્થિર બુદ્ધિ થઇ શકે છે.

(૩૬)ભક્તિમાન..મનુષ્યમાં સ્વભાવિક રીતે ભક્તિ(ભગવત્પ્રેમ) રહે છે. મનુષ્યની ભૂલ આ જ થાય છે કે તે ભગવાનને છોડીને સંસારની ભક્તિ કરવા લાગે છે એટલા માટે તેને સ્વાભાવિક રહેવાવાળી ભગવત ભક્તિનો રસ મળતો નથી અને તેના જીવનમાં નિરસતા રહે છે.સિદ્ધ ભક્ત હરદમ ભક્તિરસમાં તલ્લીન રહે છે એટલા માટે તેને ભક્તિમાન કહેવામાં આવે છે.

ઉ૫રોક્ત ૩૬ લક્ષણોમાં રાગ-દ્વેષ અને હર્ષ-શોકનો અભાવ બતાવવામાં આવ્યો છે. અંતમાં ભગવાને કહ્યું છે કે “જેઓ મારામાં શ્રદ્ધા રાખવાવાળા અને મારા પરાયણ થયેલા ભક્તો ઉ૫ર કહેલા આ ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તેઓ મને અત્યંત પ્રિય છે.”(ગીતાઃ૧૨/૨૦)

મન સ્વસ્થ..શુદ્ધ..૫વિત્ર અને સંસ્કારી બનાવવા માટે ભક્તિ એ ભગવાને આપેલ ઉત્કૃષ્ટા સાધન છે તે આ૫ણે બધા અ૫નાવીએ એવી પ્રાર્થના..!

વિનોદભાઈ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમાહાલ

Admin

Admin

9909969099
Right Click Disabled!