જનતા મમતા બેનર્જીના શ્રાદ્ધનો વરઘોડો કાઢશેઃ ગિરિરાજસિંહ
ન્યુ દિલ્હી,
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની સરખામણીએ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગ ઉન સાથે કરી છે. ગિરિરાજ સિંહે કÌšં છે કે, મમતા તેમના રાજ્યમાં કિમ જાંગ ઉન જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. જે લોકો હક માટે અવાજ ઉઠાવે છે મમતા તેને દબાવી રહ્યા છે. મમતા તેમના રાજ્યમાં વિજય વરઘોડો કાઢવાની મંજૂરી નથી આપતા. જનતા તેમની ઉલટી ગંગા અને શ્રાદ્ધનો વરઘોડો કાઢશે.
ગિરિરાજે આરોપ લગાવતા કÌšં કે, મમતા સરકાર ભારતીય બંધારણ પર વિશ્વાસ નથી રાખતી. તેઓ સતત બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મમતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમ નથી માનતા. તેઓ સિસ્ટમમાં રહેવા નથી માંગતા. હવે જનતા જ તેમનો નિર્ણય કરશે. મમતાની ઉંધી ગણતરી શરુ થઈ ગઈ છે. જનતા માત્ર વિકાસ ઈચ્છે છે.