અરવલ્લીમાં 143 શક્તિકેન્દ્રોમાં સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
સમગ્ર રાજ્યમાં તમામ શક્તિકેન્દ્રોમાં રવિવારથી સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત સભ્ય નોધણી માટે નિયુક્ત કરાયેલા વિસ્તારકોએ રવીવારથી જે તે વિસ્તારમાં પોતાની કામગીરીનો આરંભ કર્યો હતો.તદનુસાર અરવલ્લી જિલ્લામાં પણ રવીવારથી શક્તિકેન્દ્રોના વિસ્તારકોએ આ કામગીરીનો પ્રારંભ કર્યો છે. અરવલ્લી જિલ્લામાં 1058 બુથને આવરી લઈને તમામ 143 શક્તિકેન્દ્રોમાં સદસ્યતા અભિયાન અંતર્ગત વિસ્તારકો દ્વારા ઘરેઘર સંપર્ક સાથે સભ્ય નોધણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જે તે શક્તિકેન્દ્રોમાં વિસ્તારકો સવારથી જ કામે લાગી ગયા હતા. જિલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભી, મહામંત્રી શામળભાઈ પટેલ સહિત ટિમ અરવલ્લી પણ વિસ્તારક સેવામાં કામે લાગી ગઈ છે. આ ઉપરાંત દરેક તાલુકા-શહેર મંડલના હોદ્દેદારો અને તેમાં રહેતા જિલ્લા કે પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લાના પૂર્વ ધારાસભ્યો,તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો, નગર પાલિકાઓના સભ્યો,મોરચાના હોદ્દેદારો-સભ્યો,સહકારી આગેવાનો સહિત સૌ વિસ્તારક તરીકે ની કામગીરીમાં જોડાયા છે.