બોલુંદરા કૃષ્ણાશ્રમમાં શૈલપુત્રી મા આદ્યશક્તિના પૂજન સાથે નવરાત્રિ પ્રારંભ
શારદીય નવરાત્રીનો માં શક્તિના ભક્તો દ્વારા સ્થાપના સાથે આજથી મંગલ પ્રારંભ થયો છે. મોડાસાના બોલુંદરા કૃષ્ણાશ્રમમાં પૂ. અગ્નિહોત્રી આત્રેયભાઈ વ્યાસના સાન્નિધ્યે આજે નવરાત્રિના પ્રારંભે શૈલપુત્રી મા આદ્યશક્તિનું ચિત્ર દોરીને સાથે પૂજન કરીને વિધિપૂર્વક અને શ્રદ્ધા-ભક્તિ સાથે આરાધના કરવામાં આવી હતી. આશ્રમમાં યજ્ઞનારાયણ દેવના સમીપે પાવન યજ્ઞશાળામાં વર્ષ દરમિયાન અનેક પર્વો, તહેવારો અને ઉત્સવોની ઉમંગભેર ઉજવણી કરવામા આવે છે અહીં સંસ્કૃત પાઠશાળામાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે.આ આશ્રમમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ અને રામરસોડું પણ વર્ષોથી ચાલે છે !!!
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ